પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી એટલે કે કૉપના 14માં અધિવેશનને સંબોધન કર્યું. આ અધિવેશન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના ઇન્ડિયા માર્ટ એન્ડ એકસ્પોમાં આયોજિત થયું છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને વધતા રણ પર ચિંતન કરવામાં આવી રહ્યું છે.
COP-14 કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સંસ્કારોની પવિત્ર ધરતી છે. અમે દરરોજ સવારે જમીન પર પગ મુકતા અગાઉ ધરતીમાતાની માફી માગીએ છીએ. પીએમ મોદીએ જણાવ્યું કે આજે દુનિયામાં લોકોને કલાઇમેન્ટ ચેન્જ મામલે નકારાત્મક વિચારોનો સામનો કરવો પડી રહ્યો છે.
જેના કારણે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે, વરસાદ, પૂર અને તોફાનની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આ મામલે ત્રણ મોટા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
અમારા આ પ્રયત્નો અંગે દુનિયાને જાણકારી પ્રાપ્ત થાય છે. પીએમ મોદીએ કહ્યું ભારત જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને ભૂમિ રક્ષણ મુદ્દા પર દુનિયામાં ઘણા પગલા લેવા તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું આજે વિશ્વમાં પાણીની વિકટ સમસ્યા છે. પાણી બચાવવા માટે આજે દુનિયામાં એક સેમિનાર બોલાવવાની જરૂરિયાત છે. જ્યાં આ મુદ્દાનું નિવારણ અંગે ચર્ચા થઇ શકે. ભારત પાણી બચાવવા, પાણીનો સાચી રીતે ઉપયોગ કરવા તરફ આગળ વધી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે ગ્રીન કવર (વૃક્ષોની સંખ્યા)ને વધારી છે. 2015-2017ની વચ્ચે ભારતમાં જંગલનો વિસ્તાર વધ્યો છે. અમારી સરકાર ખેડૂતોની બમણી આવક તરફ આગળ વધી રહી છે. પાણીની સમસ્યાને દૂર કરવા માટે અમે અલગ મંત્રાલય બનાવ્યું છે.
બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક તરફ આગળ વધી રહ્યું છે. ભારતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘણી સફળતા મેળવી છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ભારત આવનારા સમયમાં ઉજ્જડ જમીનને ફળદ્રુપ કરવા તરફ આગળ વધી રહ્યું છે.