કોરોના સંકટ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીએકવાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકોને હજી પણ સાવચેત રહેવાની વાત કરી હતી. તો આ સાથે કોરોનાની વેક્સિનને લઇને પણ તેમણે નિવેદન આપ્યું હતું.
કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું દેશજોગ સંબોધન
કોરોના વેક્સિનને લઇને કહ્યું- ભારતમાં કામ પુરજોશમાં ચાલી રહ્યું છે
જ્યારે પણ વેક્સિન આવશે દેશવાસીઓ સુધી ઝડપથી પહોંચાડાશે
પ્રધાનમંત્રી મોદીએ કોરોનાની વેક્સિનને લઇને જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાની વેક્સિનનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે દેશવાસીઓને ઝડપથી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે પણ હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, દેશના વૈજ્ઞાનિકો વેક્સિન માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે જેમાં
કેટલીક વેક્સિન આશાસ્પદ પણ છે.
લૉકડાઉન ગયું છે વાયરસ ગયો નથીની કરી વાત
આજસુધી આપણે તમામ ભારતીયોએ બહુ લાંબી સફર ખેડી છે. ધીમે-ધીમે જીવનને ગતિ આપવા માટે હવે કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. તો તહેવારોની મોસમમાં બજારોમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે પરંતુ આપણે એ વાત યાદ રાખવી જોઇએ કે, લૉકડાઉન ગયું છે વાયરસ ગયો નથી.
ભારતમાં 12 હજાર ક્વોરન્ટાઇન સેન્ટર
Several versions of vaccines are being worked upon in India as well. Some of them are at advanced stage.
The government is also working to prepare the nation to ensure that the vaccine reaches every India as soon as possible.
ભારતમાં 12 હજાર ક્વોરન્ટાઇન સેન્ટર છે તો 2 હજારથી વધુ લેબ્સમાં કોરોના વાયરસના કેસના ટેસ્ટિગ કરવામાં આવી રહ્યા છે. તો કોરોના મહામારી વચ્ચે કેસની વધતી સંખ્યા વચ્ચે તેના ટેસ્ટિંગમાં કરાયેલો વધારો એ આપણી તાકાત છે. ડોક્ટર્સ, આરોગ્ય વિભાગના કર્મીઓ તથા અન્ય કેટલાક લોકો પણ કોરોના સામેની જંગમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.
પ્રત્યેક ભારતીઓના પ્રયાસથી ભારત આજે સારી સ્થિતિમાં આવી રહ્યું છે
છેલ્લા 7-8 મહિનાઓમાં પ્રત્યેક ભારતીઓના પ્રયાસથી ભારત આજે સારી સ્થિતિમાં આવી રહ્યું છે, આપણે તેને બગડવા નથી દેવાની, વધુ સુધારો કરવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુદર ઓછો છે.
તમારી એક ભૂલ પરિવારની મુશ્કેલી વધારશે
વડા પ્રધાને કહ્યું કે ઘણા લોકોએ હવે સાવચેતી રાખવી બંધ કરી દીધી છે. આ બરાબર નથી. જો તમે બેદરકાર છો, માસ્ક વિના છોડીને જાઓ છો, તો પછી તમે તમારી જાતને, તમારા પરિવારને, તમારા પરિવારના બાળકોને, વૃદ્ધોને જેટલી મુશ્કેલીમાં મુકશો.