પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટેનમાં શરૂ થઇ રહેલા 'ઇંડિયા ગ્લોબલ વીક 2020' કાર્યક્રમને આજે સંબોધન કરશે. પીએમ મોદી પોતાના આ વર્ચ્યુઅલ વૈશ્વિક સંબોધનમાં ત્યાં ભારતના વેપાર અને વિદેશી રોકાણ પર પોતાનો વિચાર રાખશે.
ઇંડિયા ઇંક ગ્રુપના સીઇઓ અને ચેરમેન મનોજ લડવાએ જણાવ્યું કે કોવિડ-19ના મુશ્કેલીભર્યા સમયગાળામાં ભારત પોતાની બહુમુખી પ્રતિમા, પોતાની ટેકનીકલ જ્ઞાન અને નેતૃત્વ માટે વધતા પગલાની સાથે વૈશ્વિક મામલામાં એક કેન્દ્રીય ભૂમિક નિભાવી રહ્યું છે.
એટલા માટે આશા છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ પૂરા વિશ્વ માટે એક મહત્વપૂર્ણ હશે. આ ત્રણ દિવસીય સંમેલનમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, રેલ તેમજ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયેલ, નાગરિક ઉડ્ડયન તેમજ શહેરી મામલાના મંત્રી હરદિપ સિંહ પુરી, સૂચના તેમજ પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદ અને સ્કિલ ડેવલપમેંટ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેય પણ સામેલ હશે.
બ્રિટેન તરફથી પ્રિન્સ ચાર્લ્સ આ કાર્યક્રમમાં એક વિશેષ સંબોધન કરશે. આ સિવાય વિદેશ મંત્રી ડોમિનિક રાબ, ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, આરોગ્ય મંત્રી મેટ હેનકોક અને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી લિજ ટ્રસ પણ વૈશ્વિક સ્તર પર સંબોધન કરશે.