ભારતે ગઈકાલે 100 કરોડ વેકસીનેશનનો આંકડો પાર કર્યા બાદ આજે પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને ખાસ સંબોધન કરવા માટે આવ્યા હતા.
નવા ભારતની તસવીર
આ સિદ્ધિ એ નવા ભારતની તસવીર છે જે સંકલ્પ પૂરા કરે છે અને પરિશ્રમની પરાકાષ્ઠાથી સિદ્ધિ મેળવે છે. ભારતે જે ઝડપે 100 કરોડનો આંકડો પાર કર્યો છે તેને દુનિયાભરના દેશો વખાણી રહ્યા છે.
અગાઉ ભારત બીજા દેશોની બનાવેલી વેક્સિન પર નિર્ભર રહેતું હતું. જ્યારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે ભારત સામે સવાલ ઊભા થયા હતા કે ભારત આ મહામારી સામે ક્યાંથી લડશે? ભારતના લોકોને વેક્સિન મળશે કે કેમ? શું ભારત આ મહામરીને રોકી શકશે? અને આટલા બધા લોકોને વેક્સિન આપી શકશે? આવા અનેક સવાલ ઊભા થયા હતા પરંતુ ભારતે આજે તેનો જવાબ આપ્યો છે.
100 કરોડ રસીના ડોઝની અસર એ પણ થશે કે હવે વિશ્વ ભારતને કોરોના સામે સુરક્ષિત માને છે. ભારતને ફાર્મા હબ તરીકે જે સ્વીકૃતિ મળી છે તે વધુ મજબૂત બનશે. સમગ્ર વિશ્વ આજે ભારતની આ શક્તિને જોઈ અને અનુભવી રહ્યું છે: પીએમ
આખી દુનિયા ભારતની શક્તિને જોઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે આખી દુનીયા ભારતની શક્તિને જોઈ શકે છે. આ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ એનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત અને ભારતના લોકો માટે એ પન કહેવામાં આવતું હતું કે આટલો સંયમ અને શિસ્ત ક્યાંથી આવશે પણ ભારતમાં લોકતંત્રએ સાબિત કર્યું હતું કે ગરીબ, તવંગર, ગામ શહેર બધાને વેકસીન મળી. વેકસીનેશન અભિયાન પર VIP કલ્ચર હાવી ણ થયું અને ગમે તેટલા ધનિક માણસને પણ સામાન્ય નાગરિકની જેમ જ વેક્સિન મળી.
વેક્સિન હેસિટન્સી
ભારતના લોકો વેક્સિન લેશે કે કેમ એ પણ દુનિયાને સવાલ હતો પરંતુ ભારતે 100 કરોડ ડોઝ આપીને આવું કહેનારા લોકોને ચૂપ કરી દીધા છે.
વિજ્ઞાનથી મેળવી સિદ્ધિ
વૈજ્ઞાન અને ટેકનોલોજી વગેરે દ્વારા દેશે આ સિદ્ધિ મેળવી. કયા રાજ્યને કેટલી વેક્સિન મળવી જોઈએ અને કયા વિસ્તારમાં વેક્સિનની કેટલી આવશ્યકતા છે તે બધુ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી નક્કી કરવામાં આવ્યું. આપણાં મેડિકલ સ્ટાફને પણ કોવિન એપ જેવી પદ્ધતિઓનો ઘણો લાભ મળ્યો. ભરતનો વેકસીનેશન પ્રોગ્રામ વિજ્ઞાનની કૂખે જન્મીને વિકસ્યો છે અને ચારે દિશાઓમાં સ્વીકૃતિ મળી છે.
भारत का पूरा वैक्सीनेशन प्रोग्राम विज्ञान की कोख में जन्मा है, वैज्ञानिक आधारों पर पनपा है और वैज्ञानिक तरीकों से चारों दिशाओं में पहुंचा है: प्रधानमंत्री नरेंद्र मोदी #COVID19pic.twitter.com/0fGpJacFAN
ભારતમાં રેકોર્ડબ્રેક ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રનાં કારણે આપણી અર્થવ્યવસ્થા ટકી રહી. આર્થિક સામાજિક ગતિવિધિ આજે વધી રહી છે તેનું કારણ સકારાત્મક ગતિવિધિ છે. આવનાર સમયમાં તહેવારોની ઋતુમાં વધારે વિકાસ તરફ ગતિ કરીશું.
આજે મેડ ઇન ઈન્ડીયાની બોલબાલા છે. આપણે પણ દેશમાં બનેલી ચીજ વસ્તુઓને ખરીદીની મેડ ઇન ઈન્ડિયાને મદદ કરવાની છે.
હજુ સતર્ક રહેવાની જરૂર
કવચ ગમે તેટલું મજબૂત હોય પણ સાવધાની તો રાખવી જ પડે. જેમને વેક્સિન ન લાગી હોય તેમણે તો ખાસ માસ્ક પહેરવું અને અન્ય લોકોએ તેમને વેક્સિન લેવા માટે પ્રેરણા આપવી જોઈએ.
આજે સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધિત કરશે એવી જાણકારી અગાઉ Pmo દ્વારા આપવામાં આવી હતી. PM મોદીનું સંબોધન એવા સમયએ થવા જઇ રહ્યું છે જ્યારે ભારતે 100 કરોડ ડોઝ વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઇતિહાસ રચ્યા બાદ હવે આજે PM મોદી શી જાહેરાત કરે છે તેનાં પર સૌની નજર હતી.
એક તરફ દિવાળી પણ આવી રહી હોવાથી લોકો ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યા હતા કે આજે પ્રધાનમંત્રી કયા વિષય પર ખાસ વાત કરશે.
PM મોદીએ કહ્યું હતું કે આ માત્ર એક આંકડો નથી પરંતુ દેશના સમાર્થીનું પ્રતિબિંબ છે. ભારતે 100 કરોડ વેક્સિન ડોઝનું મુશ્કેલ પણ અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે: PM મોદી
આ સાથે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. અને દેશવાસીઓએ મેડ ઇન ઈન્ડિયાનો સંદેશ આપવા સાથે સ્વદેશી ચીજો ખરીદવા માટે આગ્રહ કર્યો હતો.