હરિયાણાના સિરસામાં એલનાબાદના મંચ પર પહોંચતા જ પાઘડી પહેરાવીને પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરવાનું શરૂ કર્યું તો પહેલાં ભારત માતાની જયકારના નારા લગાવ્યા. પંજાબી ભાષામાં 'જી આયા નૂં'કહીને સૌનૌ આભાર માન્યો. રામ રામ અને નમસ્કાર કહીને સૌનું અભિવાદન કર્યું હતું.
સિરસામાં પીએમ મોદીએ સંબોધી રેલી
પંજાબી ભાષામાં માન્યો સૌનો આભાર
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કરતારપુર કોરિડોરને લઈને આપી નવી આશા
PM Modi, in Haryana's Sirsa: Then a move was made where Kashmiri Pandits were murdered in Kashmir, daughters were raped, and they were forced to leave Kashmir. #HaryanaAssemblyPollshttps://t.co/ialB8Jy1qn
#WATCH PM says, "Delhi's sleeping govt, kept making the situation in Kashmir worse. A part of us was snatched away - PoK was formed. Some years after, Sufi tradition was finished...Leaders in Delhi thought that if they look after 1-2 families, Kashmir will be looked after..." pic.twitter.com/ALkBOroaSK
પીએમ મોદીએ કહ્યું કે ધર્મનગરી સિરસાને અને જ્યાં પહેલી પાતશાહી ગુરુ નાનક દેવના ચરણ પડ્યા હતા તે પાવન સ્થાનને હું વંદન કરું છું. આજે અનેક જૂના સાથીઓના દર્શન કરવાનો અવસર પણ મળ્યો હતો. આ સૌભાગ્ય ત્યારે મળ્યું જ્યારે આખી દુનિયા 550મા પ્રકાશ પર્વની તૈયારી કરી રહી હતી. ભાજપ સરકાર ઐતિહાસિક ક્ષણને દુનિયા સાથે પિરચિત કરાવવાનો પ્રયાસ કરી રહી છે. વિશ્વમાં ભારત સરકાર આ પર્વને મનાવશે. કપૂરથલાનો નવો નેશનલ હાઈવે હવેથી ગુરુ નાનક દેવ માર્ગના નામે ઓળખાશે.
PM Modi, in Haryana's Sirsa: First a part of us was given away, then Sufi culture was finished and then the system of discrimination with Jammu, Ladakh began. There was continuous injustice with Jammu, Ladakh, Kargil - lines of discrimination were drawn. #HaryanaAssemblyPollspic.twitter.com/eUn2eoyqnZ
દૂરબીનથી ગુરુ ઘરના દર્શનની મજબૂરી હવે ખતમ થશેઃ પીએમ મોદી
ભાજપ સરકારનું સૌભાગ્ય છે કે કરતારપુર સાહિબ અને અમારી વચ્ચે જે દૂરી હતી તે હવે સમાપ્ત થઈ છે. આ કોરિડોર હવે તૈયાર થવા આવ્યો છે. 1947માં ભાગલાની રેખા ખેંચવા માટે કોંગ્રેસ જવાબદાર હતું. આ સમયે શું તેમને ખ્યાલ ન હતો કે ભક્તોને ગુરુથી અલગ ન કરવા જોઈએ. 70 વર્ષ બાદ દૂરબીનથી ગુરુ ઘરના દર્શનની મજબૂરી હવે ખતમ થવાના આરે છે. કરતારપુર કોરિડોર લગભગ તૈયાર થવા આવ્યો છે.
કોંગ્રેસની નીતિએ દેશને તબાહ કરી દીધોઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિએ દેશને તબાહ કરી દીધો. બાબા આંબેડકરે બનાવેલા સંવિધાનમાં તેને અસ્થાયી કહેવામાં આવ્યું હતું. તે 70 વર્ષ સુધી ચાલતું રહ્યું. 70 વર્ષ સુધી કાશ્મીરના લોકોને ટેમ્પરરી સાઈકોલોજીની મદદથી પરમેનન્ટ અને અલગાવવાદી રસ્તો બતાવ્યો હતો. તેઓએ કહ્યું મેં ટેમ્પરરી ખતમ કરી દીધું છે. જ્યારે તમે મને ફરી 5 વર્ષ માટે પરમેનન્ટ બનાવી લીધો છે તો હું ટેમ્પરરી કેમ ચાલવા દઉં. તમારા સહકારથી જ આ શક્ય બન્યું છે.