પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી કહે છે કે જેમને બે ટંકનું ખાવાનું નથી મળતું તેઓ સેનામાં જાય છે.
પીએમ મોદીએ રેલીમાં આવેલા લોકોને કહ્યું કે શું આ આપણા વીર સૈનિકો અને સેનાનું અપમાન નથી. પીએમએ કહ્યું કે કુમારસ્વામીજી તમારો આ વિચાર છે, તમે એમ કહીને નહીં બચી શકો કે તમારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તમે એ જ કહ્યું છે, જે તમારા દિલમાં છે. પીએમએ કહ્યું કે શું આવા જ નિવેદનો પર મત માંગવામાં આવે છે.
मैं कल मीडिया में देख रहा था कि कर्नाटका के मुख्यमंत्री ने कहा है कि हमारी सेना में वही लोग जाते हैं जिन्हें दो वक्त का खाना नहीं मिलता।
ये कैसी सोच है कुमारस्वामी जी?
आप ये कहकर नहीं बच सकते कि आपके बयान का गलत मतलब निकाला गया।
પીએમએ કહ્યું કે સૈનિક દેશની સેવા માટે જાય છે, દેશની રક્ષ માટે કંઇ પણ કરે છે, રણમાં 50 ડિગ્રી તાપમાનમાં જે તાપ સહન કરે છે, મહિનાઓ સુધી દરિયામાં તિરંગો લઇને દુશ્મનોને ભટવા પણ નથી દેતા, તેમના માટે આવા શબ્દો, આવા વિચાર... દેશની સેનાનું અપમાન કરનારાઓ, ડુબી મરો. પીએમ મોદીએ કહ્યું કે દેશના વીર જવાનોની તપસ્યાને ક્યારેય ઓછી ન આંકવી જોઇએ.
जो सैनिक देश की सेवा के लिए जाते हैं, देश की रक्षा के लिए कुछ भी कर गुजरते है,
रेगिस्तान में 50 डिग्री तापमान में जो जलते सुरज को झेलते हैं,
महीनों तक समुद्र में तिरंगा लेकर दुश्मन को भटकने तक नहीं देते।