દેશમાં આજે બંધારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે.જો કે કોંગ્રેસ, શિવસેના, લેફ્ટ અને ડીએમકેના સાંસદોએ બંધારણ દિવસના સમારોહના બહિષ્કારનો નિર્ણય લીધો છે. વિપક્ષનો આરોપ છે કે બીજેપીએ મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા કરી છે.વિપક્ષ સંસદ પરિસરમાં આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરશે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉઠકપટકના કારણે આજે પણ સંસદના બંને સદનમાં હંગામો થઈ શકે તેવી શક્યતા છે.
બંધારણ દિવસને લઈને સંસદમાં અનેક કાર્યક્રમ
PM મોદી અને રાષ્ટ્રપતિ સદનને કરશે સંબોધિત
કાર્યક્રમોનો બહિષ્કાર કરશે કોંગ્રેસ અને વિપક્ષ
આ બંધારણ દિવસ અમારા બંધારણના આદર્શોને કાયમ રાખેઃ પીએમ મોદી
આપણું બંધારણ આપણા ભારતીયોથી શરૂ થાય છે. આપણે તેની તાકાત છીએ, આપણે જ તેની પ્રેરણા અને આપણે જ તેમનો ઉદ્દેશ્ય છે. હું જે કંઈ પણ છું સમાજ માટે છું. આ કર્તવ્ય ભાવ અમારો પ્રેરણા સ્ત્રોત છે. આપણે ગણતંત્રને આપણ કર્તવ્યથી ઓતપ્રોત નવી સંસ્કૃતિ તરફ લઈને જઈએ, સારા નાગરિક બનીએ. હું કામના કરું છું કે આ બંધારણ દિવસ અમારા બંધારણના આદર્શોને કાયમ રાખે. બંધારણ નિર્માણ કરનારાઓએ જે આદર્શો કાયમ રાખ્યા છે તે બંધારણ નિર્માતાઓએ જે સપનું જોયું છે તેને પૂરા કરવાની કોશિશ કરીએ.
આપણે એ કરીએ જેનાથી રાષ્ટ્ર સશક્ત બનેઃ પીએમ મોદી
રોડ પર કોઈને તકલીફ થાય અને તમે મદદ કરો એ સારી વાત છે પણ જો મેં ટ્રાફિક નિયમનું પાલન કર્યું અને કોઈને તકલીફ ન થઈ તો તે મારું કર્તવ્ય છે. તમે જે પણ કંઈ કરી રહ્યા છો તો તેની સાથે આપણે એક પ્રશ્ન એ જોડીએ કે શું તેનાથી મારો દેશ મજબૂત બની રહ્યો છે. નાગરિકના નાતે આપણે એ કરીએ જેનાથી આપણું રાષ્ટ્ર સશક્ત બને.
બંધારણ સૌથી મોટો અને પવિત્ર ગ્રંથ છેઃ પીએમ મોદી
અધિકારો અને કર્તવ્યોની વચ્ચે એક અતૂટ સંબંધ છે. આ સંબંધને મહાત્મા ગાંધીએ સારી રીતે સમજાવ્યો છે. તેઓ કહેતા હતા કે રાઈટ ઈઝ ડ્યૂટી વેલ પરફોર્મ્ડ. તેઓએ લખ્યું છે કે હું મારી અભણ પરંતુ સમજદાર માથી શીખ્યો છું કે દરેક અધિકાર તમારા દ્વારા સાચી નિષ્ઠાથી નિભાવવામાં આવેલા કર્તવ્યોથી જ આવે છે.
PM મોદી બોલ્યા- આ ઐતિહાસિક અવસર
કેટલાક દિવસ અને કેટલાક અવસર એવા હોય છે કે જે અતીતની સાથે સારું કામ કરવાને માટે પ્રેરિત કરે છે. આ ઐતિહાસિક અવસર છે. 70 વર્ષ પહેલાં આપણે વિધિવત રીતે સંવિધાનને સ્વીકાર્યું હતું. 26 નવેમ્બરનો દિવસ દુઃખદાયી પણ રહ્યો છે. આ દિવસે ભારતની ઉચ્ચ પરંપરાઓ, સંસ્કૃતિ અને વારસાને મુંબઈમાં આતંકવાદીઓએ છિન્ન ભિન્ન કરવાનો પ્રયાસ કર્યો. આજે પણ હું તે આત્માઓને નમન કરું છું. 7 દશક પહેલાં બંધારણ પર આ હોલમાં ચર્ચા થઈ હતી. સપનાઓ પર વિચારણા થઈ હતી અને આશાઓ પર ચર્ચા થઈ હતી.