પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વના અવસર પર રાષ્ટ્રને સંબોધન કરતા ત્રણેય નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત રહી હતી.
3 કૃષિ કાયદા થયાં રદ
વિપક્ષ નેતાઓએ ટ્વીટ કરીને વધાવ્યો હશે સરકારનો નિર્ણય
રાહુલ ગાંધીએ કહ્યું- જીતી ગયા મારા દેશના ખેડૂતો
જેનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો હતો તે કૃષિ કાયદાઓ કેન્દ્ર સરકારે પરત ખેંચી લેતા વિપક્ષ પોતાની જીત ગણાવવામાં મગ્ન બની છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખેડૂતોની જીત ગણાવી હતી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, તૂટી ગયું અભિયાન, જીતી ગયા મારા દેશના ખેડૂત. તો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન શાધ્યું હતું અને કહ્યું કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધની આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદ કા કિસાન!
ખેડૂતોની શહાદત અમર રહેશે- કેજરીવાલ
आज प्रकाश दिवस के दिन कितनी बड़ी ख़ुशख़बरी मिली। तीनों क़ानून रद्द। 700 से ज़्यादा किसान शहीद हो गए। उनकी शहादत अमर रहेगी। आने वाली पीढ़ियाँ याद रखेंगी कि किस तरह इस देश के किसानों ने अपनी जान की बाज़ी लगाकर किसानी और किसानों को बचाया था। मेरे देश के किसानों को मेरा नमन
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે પ્રકાશ દિવસે 3 મોટા સમાચાર મળ્યા. ત્રણેય કાયદાઓ રદ્દ થયા. 700થી વધુ ખેડૂત શહીદ થયાં હતા. તેમની શહાદય અમર રહેશે. આવનારી પેઢીએ યાદ રાખશે કે કેવી રીતે આ દેશના ખેડૂતોએ પોતાના જીવને બાજી પર લગાવીને ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા.
કેપ્ટન અમરિન્દર સિંહે આભાર માન્યો હતો
કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!'
Great news! Thankful to PM @narendramodi ji for acceding to the demands of every punjabi & repealing the 3 black laws on the pious occasion of #GuruNanakJayanti. I am sure the central govt will continue to work in tandem for the development of Kisani! #NoFarmers_NoFood@AmitShah
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીઓ ભાજપ પર નિશાન સાધ્યું હતુ, તેમણે કહ્યું કે, દરેક ખેડૂતોને મારા અભિનંદન, જેના અથાગ પ્રયાસો કર્યા અને તે ક્રૂરતા સામે વિચલિત ન થયાં, જેમની સાથે ભાજપે વ્યવહાર કર્યો હતો. આ તમારી જીત છે. આ જંગમાં પોતાના પ્રિયજનો ગુમાવનાર તમામ લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
My heartfelt congratulations to every single farmer who fought relentlessly and were not fazed by the cruelty with which @BJP4India treated you. This is YOUR VICTORY!
My deepest condolences to everyone who lost their loved ones in this fight.#FarmLaws
PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી.
વિરોધ કરતા ખેડૂતોને ખેતરમાં પરત ફરવાની કરી અપીલ
હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો.
નાના ખેડૂતો માટે કૃષિ કાયદા લાવ્યા હોવાની કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
5 મહત્વના મુદ્દા
1... PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, મેં જે કાઈપણ કર્યું તે ખેડૂતો માટે કર્યું છે, જે કાઈ કરી રહ્યો છું તે પણ ખેડૂતો અને દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યો છું. દેશવાસીઓના આશિર્વાદથી મેં મારી મહેનતમાં કોઈપણ પ્રકારની કસર છોડી નથી, આજે હું તમને આશ્વાસન આપું છું કે, વધુ મહેનત કરીશ જેથી તમારા અને રાષ્ટ્રના સપના પૂર્ણ કરી શકું.
2...પીએમ મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને સંસદના આગામી સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.
3... પીએમે કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવાનું કામ કર્યું. સૂક્ષ્મ સિંચાઈ સાથે સિંચાઈ યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા... આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડવામાં આવ્યા.
4... પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે માત્ર MSP વધાર્યો જ નહીં પરંતુ સરકારી ખરીદીને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ જઈએ. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
5... પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો અજાણ છે કે દેશના 100 માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. વડા પ્રધાને પછી દેહ સિવા બરુ મોહિ ઇહાઈ સુભ કર્મન તે કહૂં ના તોરોં સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.