કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલા 15માં G-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ કોરોના દુનિયા માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સંમેલનમાં સામેલ થયા. સંમેલનની અદ્યક્ષતા સાઉદી અરબના કિંગ સલમાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કોરોના બાદની દુનિયા માટે એક નવી વૈશ્વિક અનુક્રમણિકાનું આહ્વાન કર્યું જેમાં ચાર મુખ્ય તત્વા સામેલ છે. એક વિશાલ ટેલેન્ટ પુલનું નિર્માણ થાય જેમાં એ નક્કી કરવાનું કે ટેકનોલોજી સમાજના તમામ વર્ગ સુધી પહોંચે. શાસનની પ્રણાલીઓમાં પારદર્શિતા અને ટ્રસ્ટીશિપની ભાવના સાથે ધરતી માતાની સેવા કરવામાં આવે. જેના આધાર પર G-20 એક નવી દુનિયાનો પાયો રાખી શકાય છે.
માનવતાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ વળાંકઃ PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબ અને તેમના નેતૃત્વને આ વર્ષે G-20ની સફળ અધ્યક્ષતા માટે શુભેચ્છા પાઠવી અને COVID-19 મહામારી દ્વારા ઉત્પન્ન થયેલા પડકારો અને બાધાઓ છતા 2020માં બીજા G-20 દ્વારા નિર્ણાયક કાર્યવાહીનું આહ્વાન કર્યું, જે માત્ર આર્થિક સુધાર, નોકરિઓ અને વેપાર સુધી સીમિત નહીં હોય, પરંતુ સમગ્ર પૃથ્વીના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે હોય કારણ કે આપણે તમામ માનવતાના ભવિષ્યના ટ્રસ્ટી છીએ.
કોરોનાએ સમગ્ર દુનિયાને અસર પહોંચાડીઃ કિંગ સલમાન
આ પહેલા શિખર સંમેલનની શરૂઆત આજે શનિવારે થઇ ગઇ. સાઉદી અરબના કિંગ સલમાને પોતાના શરૂઆતના ભાષણમાં કહ્યું કે, અમારૂ કર્તવ્ય છે કે અમે આ શિખર સંમેલન દરમિયાન પડકારોનો સામનો કરીએ અને આશ -આશ્વાસનનો એક મજબૂત સંદેશ આપીએ. કોવિડ 19 મહામારીથી એક અભૂતપૂર્વ ઝટકો લાગ્યો છે જેણે કેટલાક સમયમાં સમગ્ર દુનિયાને અસર પહોંચાડી, જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક અને સામાજિક નુકસાન થયું છે.
મહત્વનું છે કે, શિખર સંમેલનને 'તમામ માટે 21મી સદીના અવસરોનો અહેસાસ' વિષય પર આયોજિત કરવામાં આવી રહ્યું છે. 21-22 નવેમ્બર સુધી ચાલનારૂ આ બે દિવસીય શિખર સંમેલન વર્ચુઅલ રહ્યું છે.