ભારતમાં આજથી કોરોનાવાયરસ સામે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ કોરોના માટે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ન લેવાની ભુલ કરતાં નહીં. બીજા ડોઝના 2 સપ્તાહ બાદ જ શક્તિ વિક્સતિ થશે.
કોરોના વેક્સિનના 2 ડોઝ આવશ્યક છે
એક ડોઝ લેવાની ભૂલ ભારે પડી શકે છે
2 ડોઝ વચ્ચે એક મહિનાનો અંતરાળ રખાશે
પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આ વાત ફરી યાદ કરવા ઇચ્છીશ કે કોરોના વેક્સીનની 2 ડોઝ લગાવવી ઘણી જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પ્રાર્થન કરી કે તમે બે ડોઝ જરુરથી લગાવજો, એક ડોઝ લગાવાની ભૂલ ન કરશો.
I request you not to make the mistake of taking off the mask and not maintaining social distancing after getting the first dose because immunity develops after the second dose: PM Narendra Modi pic.twitter.com/Rc6COMPC3u
પીએમ મોદીએ કહ્યું કે પહેલા અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહીનાનું અંતર રાખવું, એમાં પણ ધ્યાન રાખવું કે બીજા ડોઝ લગાવતા 2 અઠવાડિયા પછી તમારા શરીરમાં કોરોનાના સામેની જરુરી શક્તિ વિક્સિત થઇ શકશે.
દુનિયાનું સૌથી મોટું રસીકકરણ અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે ઇતિહાસમાં આ પ્રકારનું અને આટલુ મોટા પાયે રસીકરણ અભિયાન પહેલા ક્યારેય ચલાવામાં આવ્યું નથી. દુનિયાના 100થી પણ વધારે દેશ છે જેની સંખ્યા 3 કરોડથી ઓછી છે, અને ભારત વેક્સિનેશનના પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને રસી લગાવા જઇ રહ્યું છે.
બીજા તબક્કામાં 30 કરોડની સંખ્યા સુધી પહોંચવાનું છે. જે વડીલો, જે ગંભીર બિમારીગ્રસ્ત છે, તેમને આ તબક્કામાં રસી લગાવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે 30 કરોડની સંખ્યાથી ઉપર ત્રણ જ દેશ છે છે. ભારત, ચીન અને અમેરિકા.
સંબોધન કરતા ભાવુક થયા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થયા. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળ દરમિયાન આપણા કેટલાંક સાથીઓ એવી રહ્યાં જે બીમાર થઇ હોસ્પિટલ તો ગયા પણ પરત ફર્યાં નહી. પીએમ મોદીએ કહ્યું કે સંકટના તે સમયમાં, નિરાશાના એવા વાતાવરણમાં, કોઇ આશાનું કિરણ લાવી રહ્યું હતું,
#WATCH | PM Narendra Modi gets emotional while talking about the hardships faced by healthcare and frontline workers during the pandemic. pic.twitter.com/B0YQsqtSgW
આપણને બચાવવા માટે પોતાના પ્રાણોને સંકટમાં નાંખી રાખ્યા હતા. આ લોકો હતા આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, આશા વર્કર, સફાઇ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રંટલાઇન વર્કર્સ. આપણા કેટલાક સાથાઓ કોરોનાની અસરથી હોસ્પટલ ગયા હતા તેઓ પરત ફર્યા નહી. એવા આપણા બધા સાથીઓને આપણે સાદરાંજલિ અપ્રિત કરીએ છીએ.