જકાર્તા: ત્રણ દેશની વિદેશયાત્રાના પહેલા પડાવમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ઈન્ડોનેશિયા પહોંચ્યા છે. આજે રાજધાની જકાર્તામાં પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે પીએમ મોદીની આ મુલાકાતથી એક બાજુ ઇન્ડોનેશિયા અને ભારતની વચ્ચે મિત્રતાને નવી મજબૂતી મળશે તો બીજી બાજુ રક્ષા અને કારોબારના ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે ઘણી સમજૂતી પર હસ્તાક્ષર પણ થશે.
ભારત-ઇન્ડોનેશિયાના સંયુક્ત નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આ મહાન અને સુંદર દેશની મારી પહેલી યાત્રા છે અને આ યાત્રાના શાનદાર પ્રબંધ માટે રાષ્ટ્રપતિનો આભાર માનું છું. એમને કહ્યું કે બાળકોએ જે રીતે મારું સ્વાગત કર્યું હતું એમને મારું દિલ જીતી લીધું.
પીએમ મોદીએ આગળ કહ્યું 'તાજેતરમાં થયેલા આંતકી હુમલામાં ઇન્ડોનેશિયાના નિર્દોષ લોકોનું માર્યા ગયાનું ખૂબ દુખ છે. ભારત આ પ્રકારના હુમલાની જોરદાર ટીકા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઇન્ડોનેશિયાની સાથે મજબૂતી સાથે ઊભું છે.'
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું:
આજે અમારી વચ્ચે થયેલા કરારથી દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂતી મળશે.
અમે 2015 સુધી વેપારને 80 બિલિયન ડોલરના સ્તર સુધી લઇ જવાનો બમણો પ્રયત્ન કરીશું.
બંને દેશો વચ્ચે હજારો વર્ષથી મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે. જેની ઝલક ભારતના ગણતંત્ર દિવસ પરેડમાં જોવા મળી.
રમઝાનના આ પવિત્ર મહિનામાં ભારતના સવા કરોડ લોકો તરફથી ઇન્ડોનેશિયના લોકોની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરું છું.
પાંચ દિવસની યાત્રાના પહેલા પડાવમાં પીએમ મોદી મંગળવારે સાંજે જકાર્તા પહોંચ્યા.અહીં પહોંચ્યા બાદ સૌથી પહેલાં તેઓ કાલીબાટા નેશનલ હીરો સિમેન્ટ્રી પહોંચ્ચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. ત્યાં પીએમ મોદીએ વિઝીટર બુકમાં પોતાનો સંદેશો પણ લખ્યો.
PM @narendramodi paid tributes to the martyrs of Indonesia's freedom struggle at the Kalibata National Heroes Cemetery in Jakarta. pic.twitter.com/5Q8HLzhKoE
શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન હસ્તાના મર્ડેકા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તો રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીને રાષ્ટ્રીય સમ્માન પણ આપવામાં આવ્યું.
પહેલી વખત જકાર્તા પહોંચેલા પીએમ મોદીએ ઇન્ડેન્શિયાની આઝાદીના સંઘર્ષના શહીદોને શ્રદ્ધાંજલિ આપીને આજે પોતાની યાત્રાની શરૂઆત કરી. દક્ષિણ જકાતર્તામાં કાલીબીતા હીરોઝ સીમેટ્રી ઇન્ડોનેશિયામાં સૈનિકોની કબર છે. એને વર્ષ 1959માં બનાવવામાં આવી હતી અને નવેમ્બર 1954માં ખોલવામાં આવી હતી જ્યાં પહેલી વખત કોઇની દફનવિધિ કરવામાં આવી હતી.
Relationship that evokes a feeling of warmth and kinship. A red carpet welcome and a guard of honour extended to PM @narendramodi on his arrival at Istana Merdeka ahead of his talks with President @jokowi. pic.twitter.com/LBabxdkZax