આજે અમે તમને એવી એક સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં સરકાર દેશની મહિલાઓને 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે.
મહિલાઓને મોદી સરકાર આપી રહી છે સહાય
આપે છે 6 હજાર રૂપિયા
જાણો તેના વિશે વિગતે
દેશમાં ગરીબો, મહિલાઓ અને જરૂરિયાતમંદો માટે ઘણી ખાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં તમામ વર્ગોને આર્થિક સહાય આપવામાં આવે છે. આજે અમે તમને એવી જ એક સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં સરકાર દેશની મહિલાઓને 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે.
માત્ર મહિલાઓને જ મળે છે આ યોજનાનો લાભ
કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY Scheme). જેના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપે છે.
જાણો આ સ્કીમ વિશે વિગતે
આ યોજનામાં ગર્ભવતી મહિલાઓ અરજી કરી શકે છે. સરકારે આ યોજના ગર્ભવતી મહિલાઓના જીવનને સુધારવા અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે શરૂ કરી હતી.
કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ?
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે માતા-પિતાનું આધાર કાર્ડ, માતા-પિતાનું ઓળખ કાર્ડ, બાળકનું જન્મ પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક હોવી જોઈએ.
આ રીતે હપ્તામાં મળે છે પૈસા
આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે. જેના માટે સરકાર તેમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા 3 તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં રૂ. 1000. બીજા તબક્કામાં રૂ. 2000 અને ત્રીજા તબક્કામાં રૂ. 2000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. ત્યાંજ સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લે 1000 રૂપિયા આપે છે.
આ યોજના વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ની મુલાકાત લઈ શકો છો.
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે.