જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ તમારા કામની વાત છે. સરકારે આ યોજનામાં 8 મોટા ફેરફાર કર્યા છે. જો તમે પણ આ યોજના હેઠળ તમારા દસ્તાવેજ અપડેટ કર્યા નથી તો તમે ખોટી રીતે પેમેન્ટ લેતા ફેક યાદીમાં સામેલ થઇ જશો અને તમારે અત્યાર સુધીના બધા હપ્તા પાછા આપવા પડશે.
સરકારે પીએમ કિસાન યોજનામાં 8 મોટા ફેરફાર કર્યા
આ યોજના હેઠળ તમારા દસ્તાવેજ અપડેટ કરી દેજો
બિનલાયક લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે
પીએમ કિસાનમાં મોટા ફેરફાર
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં શરૂઆતથી લઇને અત્યાર સુધી 8 ફેરફાર કરવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના રૂપિયા આવી ગયા છે. હવે 11મા હપ્તાનો લાભ લેવા માટે ઘણા દસ્તાવેજો ફરજીયાત કરી દેવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા લાભાર્થીઓ માટે e-KYC ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. હવે સરકારે ફરી એક વખત ફેરફાર કર્યો છે, જે હેઠળ બિનલાયક લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે. જે હેઠળ તમે જાણી લીધુ હશે કે તમે જે હપ્તો ઉઠાવી રહ્યાં છે, તમે તેને લાયક છો અથવા તમારે હપ્તો પાછો આપવો પડશે.
ખોટા ખેડૂતો પર સરકારનું કડક વલણ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કોઈ કરદાતા પણ તેનો લાભ લઇ રહ્યાં છે તો ઘણા પરિવાર એવા છે, જ્યાં પતિ-પત્ની બંને લાભ ઉઠાવી રહ્યાં છે. આ યોજનાના નિયમ મુજબ ખેતર પતિ અને પત્ની બંનેના નામે હોય. પરંતુ જો એકસાથે રહે છે અને પરિવારમાં બાળકો સગીર છે તો ફક્ત એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે. હવે સરકારે આવા ખોટા ખેડૂતો પર ગાળીયો કસવાનુ શરૂ કર્યુ છે અને નોટીસ પણ મોકલી છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરી છે તો તમે સ્વેચ્છાએ ખોટી રીતે લીધેલી રકમને પાછી આપી દો. જેના માટે સરકારે પીએમ કિસાન પોર્ટલ પર એક સુવિધા આપી છે.
આ રીતે કરો ઑનલાઈન રકમ પાછી
સૌથી પહેલા https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
જમણી બાજુ બનાવેલા બોક્સમાં સૌથી નીચે તમને 'Refund Online'ના વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમારી સામે બે વિકલ્પ ખુલશે.
જેમાં પ્રથમ વિકલ્પ જો તમે પીએમ કિસાનના પૈસા પાછા આપી દીધા છે તો પહેલા ચેક કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
ત્યારબાદ આધાર નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર નાખો.
હવે ઈમેજ ટેક્સ્ટ ટાઈપ કરો અને ગેટ ડેટા પર ક્લિક કરો.
જેમાં તમે જો લાયક છો તો 'You are not eligible for any refund Amount'નો મેસેજ આવશે નહીંતર રિફન્ડ રકમ શો કરશે.