સરકાર તરફથી ખેડૂતોના ફાયદા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોના હિત માટે કામ કરવાનો પણ છે. જે હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક સહાયતા પણ પ્રદાન કરે છે.
કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર
ખેડૂતોએ 31 જુલાઈ 2022 સુધી કેવાઈસી કરાવવુ પડશે
જો નહીં કરાવો તો પીએમ કિસાનના બે હજાર રૂપિયા મળશે નહીં
ખેડૂતોએ આ કામ વહેલી તકે પતાવવુ પડશે
ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા પણ આપવામાં આવે છે. જેમાં એક યોજના પીએમ કિસાન પણ છે. આ યોજના હેઠળ વાર્ષિક કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને 6 હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા ખેડૂતોને દર ચાર મહિનામાં 2 હજાર રૂપિયાની સમાન હપ્તા તરીકે મળે છે. તો હવે દેશના કરોડો ખેડૂતોને એક કામ જલ્દીથી પતાવવુ પડશે. નહીંતર 2 હજાર રૂપિયાની રકમ લેવાથી વંચિત રહી શકો છો.
અટકી શકે છે બે હજાર રૂપિયા
કેન્દ્ર સરકાર તરફતી પીએમ કિસાન સન્માન નિધિ દેશના ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક યોજના છે. આ યોજના હેઠળ સરકાર તરફથી દર ચાર મહિનામાં ખેડૂતોને આર્થિક સહાયતા આપવામાં આવે છે. દર ચાર મહિનાના અંતરાલમાં આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂતોને સરકાર તરફથી 2000 રૂપિયા આપવામાં આવે છે. તો હવે ખેડૂતો તરફથી એક કામ કરવામાં નહીં આવે તો આ 2 હજાર રૂપિયા અટકી શકે છે.
કરવુ પડશે આ કામ
પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને 31 જુલાઈ 2022 સુધી કેવાઈસી કરાવવુ પડશે. આ કામને કરાવવામાં હવે સરેરાશ 15 દિવસનો સમય બચ્યો છે. જો યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત કેવાઈસી નથી કરાવતા તો તેમને પીએમ કિસાનના બે હજાર રૂપિયા મળશે નહીં. સરકાર તરફથી છેતરપિંડી અટકાવવા માટે કેવાઈસી પ્રક્રિયા કરાવવામાં આવી રહી છે. જો 31 જુલાઈ 2022 સુધી કેવાઈસી કરવામાં આવી તો યોગ્યતા ધરાવતા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા હેઠળ 2000 રૂપિયા મળશે.
આ રીતે કરો ઑનલાઈન eKYC
ઈ-કેવાઈસી માટે સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
e-kycના ઑપ્શન પર ક્લિક કરો.
આધાર નંબર નાખો.
ઈમેજ કોડ એન્ટર કરો.
હવે મોબાઈલ નંબર નોંધો અને ઓટીપી નોંધો
ત્યારબાદ જો ડિટેઈલ સંપૂર્ણ રીતે વેલિડ હશે તો ઈકેવાઈસીની પ્રક્રિયા પૂરી થઇ જશે.
જો પ્રક્રિયા સારી ના થઇ તો ઈનવેલિડ જાહેર કરવામાં આવશે. જેને આધાર સેવા કેન્દ્ર પર જઇને બરોબર કરાવી શકો છો.