દેશમાં ખેતી-ખેડૂતને લઇને છેલ્લાં ઘણા વર્ષોમાં જાગૃતિ વધી છે. સરકાર પણ ખેડૂતોની મદદ માટે આગળ આવી છે. જેને લઇને અનેક પ્રકારની યોજનાઓ છેલ્લાં થોડા વર્ષમાં લોન્ચ કરવામાં આવી છે.
ગેરલાયક ખેડૂતોના ખાતામાં નહીં મોકલાય 11મા હપ્તાના પૈસા
સરકારે e-KYCની પ્રક્રિયાને પૂર્ણ કરી ફરજીયાત કર્યુ
લાયક ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાના પૈસા આવી જશે
આ હપ્તો હવે કોઈ પણ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી શકાશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ અમુક પ્રકારની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ સીધા તેના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 10 હપ્તા મોકલી ચૂકી છે. આશા સેવાઈ રહી હતી કે 11મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં મે સુધી આવી જશે. જો કે, નિયમોમાં ફેરફાર અને લાખો ખેડૂતો દ્વારા e-KYCની પ્રક્રિયા પૂર્ણ ના હોવાનુ કારણ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો મોકલવામાં આવ્યો નથી. લેટેસ્ટ રિપોર્ટ મુજબ આ હપ્તો હવે કોઈ પણ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી શકાય છે.
સરકારે e-KYCની પ્રક્રિયાને ફરજીયાત કર્યુ
પીએમ કિસાન યોજનાને લઇને એવા ઘણા મામલા સામે આવ્યાં છે, જેમાં ગેરલાયક લોકોએ પણ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે. ઘણા એવા લોકો છે, જે આ રકમને પ્રાપ્ત કરવા માટે ખોટા ખેડૂત બની ગયા છે. આ બધી પરિસ્થિતિઓથી લડવા માટે સરકારે e-KYCની પ્રક્રિયાને પૂર્ણ કરી ફરજીયાત કરી દીધુ છે. 31 મે સુધી જે ખેડૂતોની e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેવા ખેડૂતો 11મા હપ્તાથી વંચિત રહી જશે.
આવા ખેડૂતો યોજનાનો લાભ લઇ શકતા નથી
પીએમ કિસાન યોજનાને લઇને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યાં છે. ઘણા એવા લોકો છે, જે પીએમ કિસાન યોજના માટે ગેરલાયક છે. આવા લોકોને પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા આવશે નહીં. સંસ્થાકીય ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. એવા લોકો જે બંધારણીય પદ પર છે, તેઓ આ યોજનાનો ફાયદો લઇ શકતા નથી.