પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના પૈસા આવવાના છે. આ દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે કે હવે આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને રકમ મળશે.
PM કિસાન યોજનાના 12માં હપ્તાના પૈસા આવશે
પતિ-પત્ની બન્નેને મળશે યોજનાના પૈસા
જાણો શું છે યોજનાને લઈને નવી અપડેટ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા એટલે કે 2000 રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે. પરંતુ, અત્યાર સુધી આ પ્લાનમાં ઘણા ફેરફારો થયા છે. ક્યારેક અરજીને લઈને તો ક્યારેય પાત્રતાને લઈને આ યોજનામાં અત્યાર સુધી ધણા નિયમ બની ચુક્યા છે. હવે આ સ્કીમમાં પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે, ચાલો જાણીએ તેના નિયમો.
જાણો કોને મળશે ફાયદો?
પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પતિ અને પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ આવું કરે છે તો સરકાર તેને નકલી ગણાવીને તેની પાસેથી રિકવરી કરશે. આ સિવાય પણ આવી ઘણી જોગવાઈઓ છે જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે.
જો અયોગ્ય ખેડૂતો આ યોજનાનો લાભ લે છે, તો તેમણે સરકારને તમામ હપ્તા પરત કરવાના રહેશે. આ યોજનાના નિયમો હેઠળ, જો કોઈ ખેડૂત પરિવારમાં ટેક્સ ચૂકવે છે, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં. એટલે કે જો પતિ-પત્નીમાંથી કોઈએ ગયા વર્ષે આવકવેરો ભર્યો હોય તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે.
કોણ લાભ લેવા માટે છે અપાત્ર?
નિયમ મુજબ જો કોઈ ખેડૂત તેની ખેતીની જમીનનો ઉપયોગ ખેતીના કામ માટે નહીં પરંતુ અન્ય કામો માટે કરતો હોય અથવા અન્યના ખેતરમાં ખેતીનું કામ કરતો હોય અને તે ખેતર તેની માલિકીનું ન હોય. આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવા માટે હકદાર નથી. જો કોઈ ખેડૂત ખેતી કરતો હોય, પરંતુ ખેતર તેના નામે નહીં પરંતુ તેના પિતા કે દાદાના નામે હોય, તો તેને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
આવા લોકોને પણ નહીં મળે લાભ
જો કોઈ વ્યક્તિ ખેતીની જમીનનો માલિક હોય, પરંતુ તે સરકારી કર્મચારી હોય અથવા નિવૃત્ત થઈ ચુક્યા હોય, હાલના કે ભૂતપૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી હોય, તો આવા લોકો પણ ખેડૂત યોજનાનો લાભ મેળવવા માટે અયોગ્ય છે. પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તેમના પરિવારના સભ્યો પણ અયોગ્ય યાદીમાં આવે છે. આવકવેરા ભરનારા પરિવારોને પણ આ યોજનાનો લાભ નહીં મળે.