પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલેકે 2000 રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે. ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો આવવાનો છે. પરંતુ ઘણાં ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 9મો હપ્તો આવ્યો નથી. જોકે, અત્યાર સુધી આ યોજનાની પાત્રતાને લઇને ઘણાં સવાલ છે. જેમ કે શું પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકે છે? આવો જાણીએ નિયમ.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ ખેડૂતોને નહીં મળે લાભ
શું પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકે છે?
જો કોઈ ઈન્કમ ટેક્સ ભરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં
જાણો કેવીરીતે મળશે લાભ?
પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી. જો કોઈ આવુ કરે છે તો તેને ખોટું જાહેર કરીને સરકાર તેની પાસેથી રિકવરી કરશે. આ ઉપરાંત પણ એવી જોગવાઈઓ છે, જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે. ખેડૂત પરિવારમાં જો ખેડૂત ટેક્સ આપે છે તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં. એટલેકે પતિ અથવા પત્નીમાંથી કોઈએ પણ ગયા વર્ષે ઈન્કમ ટેક્સ ભરેલો છે તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
કોણ લાભ લઇ શકશે નહીં ?
જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ ખેતીના કાર્યમાં ના કરી બીજા કામોમાં કરી રહ્યું છે અથવા બીજાના ખેતરોમાં ખેડૂતોનું કામ કરે છે પરંતુ ખેતર તેમનુ નથી. આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે હકદાર નથી. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યું છે. પરંતુ ખેતર તેના નામે નહીં પરંતુ તેના પિતા અથવા દાદાના નામે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.
આવા ખેડૂતોને પણ નહીં મળે લાભ
જો કોઈ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી અથવા નિવૃત્ત થઇ ગયો છે. વર્તમાન સાંસદ અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો આવા લોકો પણ કિસાન યોજનાના લાભ માટે પાત્રતા ધરાવતા નથી. કિસાન યોજનાની પાત્રતા ના ધરાવતા હોય તેવા લોકોની યાદીમાં પ્રોફેશનલ રજીસ્ટર્ડ તબીબ, એન્જિનિયર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ અથવા તેના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. ઈન્કમટેક્સ ચૂકવનારા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.