ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર સબસિડી આપે છે. આ યોજના અંતર્ગત એક વાત સારી છે કે આ ખેડૂતો કોઈપણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમતે. બાકીના અડધા પૈસા સરકાર સબસિડીના ભાગરૂપે આપે છે.
આ યોજના PM કિસાન ટ્રેક્ટર યોજનાના નામે શરૂ કરવામાં આવી
કોઈ પણ કંપનીના ટ્રેક્ટર માટે સબસિડી આપવામાં આવે છે
માત્ર એક ટ્રેક્ટર ખરીદવા પર જ સબસિડી મળશે
આ યોજના PM કિસાન ટ્રેક્ટર યોજનાના નામે શરૂ કરવામાં આવી
મોદી સરકારે ખેડૂતોની આવક બે ગણી કરવા માટે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે. ખેડૂતોને ખેતી કરવા માટે ઘણા મશીનોની પણ જરૂર પડે છે. આ બધી જરૂરિયાતોમાં ટ્રેક્ટર એક જરૂરિયાતનો મુખ્ય ભાગ છે. પણ ભારતમાં કેટલાય ખેડૂતો એવાં છે જે જેમની પાસે આર્થિક તંગીને કારણે ટ્રેક્ટર પણ નથી. ના છૂટકે તેઓ ટ્રેક્ટર પણ ભાડે ચલાવે છે સાથે જ તેઓ ખેતી માટે બળદનો ઉપયોગ કરે છે. આ બધા વચ્ચે ખેડૂતોને આર્થિક મદદ માટે કેન્દ્ર સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવાની યોજના બનાવી છે. આ યોજના PM કિસાન ટ્રેક્ટર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે.
કોઈ પણ કંપનીના ટ્રેક્ટર માટે સબસિડી આપવામાં આવે છે
જે માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે કોઈ પણ કંપનીના ટ્રેક્ટર માટે સબસિડી આપવામાં આવે છે. સાથે જ નવું લીધેલું ટ્રેક્ટર માત્ર અડધી કિંમતમાં જ મળે છે અને બાકીના અડધી કિંમતની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે. ઘણા રાજ્યોમાં રાજ્ય સરકાર દ્વારા 20 થી લઈ 50 ટકા સુધીની સબસિડી આપે છે.
માત્ર એક ટ્રેક્ટર ખરીદવા પર જ સબસિડી મળશે
સરકાર માત્ર એક ટ્રેક્ટર ખરીદવા પર જ સબસિડી આપે છે. એટલે કે ખેડૂતોને એક જ ટ્રેક્ટર પર સબસિડી મળશે. આ માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, જમીનના' કાગળ, બેંકની વિગતો અને પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર પડે છે. આ યોજના હેઠળ ખેડૂત કોઈપણ નજીકના CSC સેન્ટર પર જઈ ઓનલાઈન એપ્લાય કરી શકાય છે.