PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર થઈ શકે છે. આ યોજના હેઠળ આ વર્ષે 3 કરોડ ખેડૂતો લાભ નહીં મેળવી શકે. સરકારે ખેડૂતોને ઈકેવાયસી કરવાની સૂચના આપી હતી, પરંતુ અનેક ખેડૂતોએ આ સૂચનાને ધ્યાનમાં લીધી નથી.
3 કરોડ ખેડૂતો લાભ નહીં મેળવી શકે
ફોર્મમાં ભૂલ હોવાને કારણે નહીં મળે લાભ
આ પ્રકારે સુધારો ફોર્મમાં ભૂલ
ટૂંક સમયમાં PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર થઈ શકે છે. આ યોજના હેઠળ આ વર્ષે 3 કરોડ ખેડૂતો લાભ નહીં મેળવી શકે. સરકારે ખેડૂતોને ઈકેવાયસી કરવાની સૂચના આપી હતી, પરંતુ અનેક ખેડૂતોએ આ સૂચનાને ધ્યાનમાં લીધી નથી. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વર્ષમાં 3 વાર પીએમ કિસાન સમ્માન નિધિના પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. 1 એપ્રિલથી 31 જુલાઈ સુધીમાં પહેલો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
ભૂલ સુધારો
PM કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો. આ વેબસાઈટના ફાર્મર કોર્નરમાં Edit Aadhaar Details ઓપ્શન પર ક્લિક કરો.
હવે આધાર નંબર એન્ટર કરીને કેપ્ચા કોડ ટાઈપ કરીને સબમિટ કરો.
એપ્લિકેશન અને આધાર કાર્ડમાં અલગ અલગ નામ હોય તો ઓનલાઈન સુધારી શકાય છે.
જો કોઈ ભૂલ હોય તો લેખપાલ અથવા કૃષિ વિભાગ ઓફિસનો સંપર્ક કરો.
વેબસાઈટ પર આપવામાં આવેલ Helpdesk ઓપ્શન પર ક્લિક કરો. હવે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ એન્ટર કર્યા પછી જે પણ ભૂલ હોય તે સુધારી શકાશે. આધાર નંબરમાં સુધારો, સ્પેલિંગમાં ભૂલ સુધારી શકાશે.
તમારા પૈસા શા માટે નથી આવ્યા, તેની જાણકારી પણ મેળવી શકાશે.
આ લોકો યોજનાનો લાભ નહીં મેળવી શકે
જે ખેડૂતોના નામ પર ખેતર હશે માત્ર તે જ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે. જે ખેડૂતો પાસે વારસાગત જમીન હતી, તે લોકોને પણ આ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ હવે તેઓ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે. ખેતી કરનાર ખેડૂતના પિતા અથવા દાદાના નામ પર જમીન છે, તો તે વ્યક્તિ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે. જે ખેડૂત ખેતી કરે છે પરંતુ તેમના નામ પર જમીન નથી, તો તેઓ આ યોજનાનો લાભ લેવાને પાત્ર નથી. જે ફર્જી ખેડૂતના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયેલ છે, તેમની પાસેથી વસૂલી કરવામાં આવી રહી છે.
આ ખેડૂતોને લાભ નહીં મળે
ઈન્કમટેક્સ પેયર
ડૉકટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા આર્કિટેક
પૂર્વ તથા વર્તમાન મંત્રી, રાજ્યમંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ, પાલિકા અધ્યક્ષ, પૂર્વ પાલિકા અધ્યક્ષ
પતિ, પત્ની તથા પુત્રમાંથી એક વ્યક્તિને જ લાભ મળશે.
કેન્દ્રીય તથા રાજ્ય સ્તરીય સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ
શા માટે પૈસા મળ્યા નથી?
કોઈ ડોક્યુમેન્ટની કમીને કારણે પૈસા અટકી જાય છે. આધાર, એકાઉન્ટ નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબરમાં ભૂલ હોવાનું સામે આવે છે. આ પ્રકારે ભૂલ થાય તો આ યોજના હેઠળ મળતો હપ્તો ખાતામાં જમાં થતો નથી. કોમન સર્વિસ સેન્ટર જઈને ભૂલ સુધારી કરી શકાય છે. ઘરે બેઠા આ ભૂલ સુધારી શકાય છે. આ યોજના હેઠળ કોઈ સમસ્યા હોય તો, હેલ્પલાઈન નંબર 155261 અથવા ટોલ ફ્રી નંબર 1800115526 તથા 011-23381092 નંબર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકાય છે.