દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહેલી મોદી સરકાર નવા વર્ષે અન્નદાતાઓને ભેટ આપવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના નાણાં ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે.
In line with the continued commitment and resolve to empower grassroot level farmers, PM @narendramodi will release the 10th instalment of financial benefit under Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme on 1st January, 2022 at 12:30 PM via video conferencing. pic.twitter.com/K2Km8MvnUT
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) December 29, 2021
ઘણા દિવસોથી પીએમ કિસાન યોજના હેઠળ 2,000 રૂપિયાના 10મા હપ્તાની તારીખને લઈને અટકળો ચાલતી હતી. પરંતુ થોડા દિવસો પહેલા સરકાર દ્વારા એસએમએસ મારફતે ખેડૂતોના મોબાઇલ પર ભંડોળ ટ્રાન્સફર કરવાની માહિતી મોકલવામાં આવી હતી. મસેજમાં કહેવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2022ના રોજ કેન્દ્ર સરકાર નાણાંનો 10મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે.
PMOએ 20,000 કરોડ રૂપિયાના ટ્રાન્સફરની માહિતી આપી
પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પીએમ કિસાન યોજના વિશે માહિતી આપી હતી. પીઆઈબી પરની માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, "નાના ખેડૂતોને સશક્ત બનાવવા માટે સતત પ્રતિબદ્ધતા અને સંકલ્પને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી, 2022ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) યોજના હેઠળ નાણાકીય લાભોનો 10મો હપ્તો બપોરે 12:30 વાગ્યે જાહેર કરશે." વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમ હશે. આ અંતર્ગત 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.