લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતમાં પ્રથમ હપ્તાની રકમ જમા કરાઈ હતી. પરંતુ હવે આરટીઆઈ દ્વારા મળેલી માહિતીમાં એ સામે આવ્યું છે કે, કેટલાંક ખેડૂતોના ખાતામાંથી આ રકમ પરત ખેંચી લેવામાં આવી છે. જેમાં
દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક સહાય આપતી કિસાન સન્માન નિધિ નામે યોજના શરૂ કરાઈ હતી. કરોડો ખેડૂતોના ખાતમાં આ યોજના હેઠળ પ્રથમ હપ્તા પેટે રૂ.2000 જમા કરાવવામાં આવ્યા હતા. જેના મેસેજ પણ ખેડૂતોને મળી ગયા હતા. એ જોઈને ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના અંદાજે 1,88,000 ખેડૂતોના ખાતામાં અંદાજે 37 કરોડ 70 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
જો કે આ મામલે ઉત્તરપ્રદેશના જોનપુરના કેટલાંક ખેડૂતોને આંચકો લાગે તેવી હકીકત સામે આવી છે. જ્યારે અગાઉ ધ વાયર વેબસાઈટ દ્વારા કરાયેલી આરટીઆઈ દ્વારા સામે આવી હતી જેમાં આવા પ્રકારના કેસનો ઉલ્લેખ કરાયો હતો.. ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતમાં જમાં થયેલા કરાયેલ કુલ નાણાંમાંથી 61 લાખ 20 હજાર રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પોતાના ખાતામાંથી સન્માન નિધિના નાણાં પરત ખેંચાઈ જવાના મેસેજ પણ ખેડૂતોના ફોન પણ આવ્યા છે. જે જોઈને ખેડૂતો નિરાશ થયા છે. પોતાની આપવીતી સંભળાવવા લાગ્યા છે.
ખાસ કરીને આ મામલામાં બેંકો એવું કહી રહી છે કે લાભાર્થીઓના ખાતા નંબર અથવા તો દસ્તાવેજોમાં ભૂલને કારણે આવું બન્યું હશે. જેથી એ તો સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના ખાતામાંથી પૈસા પાછા ખેંચાવામાં સરકારની કોઈ ભૂમિકા નથી.
'લાભાર્થીઓના એકાઉન્ટ નંબર ખોટા હશે'
યુકો બેંકે રકમ પરત ખેંચવા માટેનું કારણ આપતા બેંકના અધિકારીઓનું કહેવું છે કે, કાં તો લાભાર્થીઓના એકાઉન્ટ નંબર ખોટા હશે અથવા આધાર નંબરમાં ભૂલ હશે. જોકે, પૈસા પરત ખેંચવાની બાબતમાં કેટલાક એવા ખાતા ધારકો પણ પણ જોવા મળ્યા છે કે ન તો તેમના આધારનંબરમાં ભૂલ હતી કે નતો તેમના ખાતા નંબરમાં ભૂલ હતી. તેમ છતાં તેમની સહાય પરત ખેંચી લેવાઈ છે. જો કે આ મુદ્દે બીજી અનેક બેંકોએ કોઈ ખુલાસો આપવાનું ટાળ્યું છે.