કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનતાં જ ખેડૂતોને કિસાન સમ્માન નીધી સ્કીમનો લાભ મળશે.
અમિત શાહની મોટી જાહેરાત
ભાજપની સરકાર બનતાં જ ખેડૂતોને થશે મોટો ફાયદો
પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ મળશે મોદી સરકારની સ્કીમનો લાભ
મોદી સરકારની ફ્લેગશીપ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. 2000 રૂપિયાના 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા ખેડૂતોને અપાય છે. આ રકમ ખેડૂતોને તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે. દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે. સરકારનો હેતુ છે કે ખેડૂતોની આવક બમણી કરાય, પરંતુ કેન્દ્ર સરકારની આ સ્કીમ પશ્ચિમ બંગાળમાં લાગૂ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનતાં જ સૌથી પહેલાં અહીના ખેડૂતોને કિસાન સમ્માન નીધી સ્કીમનો લાભ મળશે. આ રૂરિયા આ ખેડૂતોને ત્યારથી મળશે જ્યારથી યોજના ચાલુ કરવામાં આવી છે.
70 લાખ ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ
પશ્ચિમ બંગાળના લગભગ 70 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. શાહે કહ્યું કે ભાજપની સરકાર બનતાં જ અમે છેલ્લા વર્ષના 12000 રૂપિયા સહિત આ વર્ષના 6000 રૂપિયા એટલે કે કુલ 18000 રૂપિયાને આપીશું. સીએમ મમતા બેનર્જીએ પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ લાગૂ કરી નથી. જેના કારણે ખેડૂતોને આ 6000 રૂપિયા મળી રહ્યા નથી.
70 લાખ ખેડૂતોને 9660 કરોડ રૂપિયાનું નુકસાન
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થનારી છે. એવામાં આ નિવેદનને રાજકીય નિવેદન પણ કહી શકાય છે. જો પીએમ કિસાનનું બજેટ જોઈએ તો આ કામ થઈ શકે છે. તેના આધારે ખેડૂતોને બાકી રકમ સાથે આ રકમ આપી શકાય છે. રાજ્યમાં પીએમ કિસાન એક મોટો મુદ્દો બની ગયો છે. રાજ્યના લગભગ 70 લાખ ખેડૂતોને કરોડો રૂપિયનાનું નુકસાન થઈ ચૂક્યું છે. કૃષિ મંત્રાલયે કહ્યું કે આ નુકસાનની રકમ લગભગ 9660 કરોડ રૂપિયા છે. રાજ્યમાં કેટલાક ખેડૂતોએ ઓનલાઈન એપ્લાય કર્યું હતું પણ વેરિફિકેશનનું કામ રાજ્ય સરકારનું છે. રાજ્ય સરકારના વેરિફિકેશન ન મળતાં કેન્દ્ર સરકાર આ ખેડૂતોને મદદ કરી શકી નથી.
આ રીતે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે રૂપિયા
પીએમ કિસાન સમ્માન નિધિના આધારે ખેડૂતોએ ઓનલાઈન એપ્લાય કરવાનું રહે છે. આ પછી તેમની એપ્લીકેશન રાજ્ય સરકારના રેવન્યૂ રેકોર્ડ, આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરે છે. રાજ્ય સરકાર જ્યાં સુધી તમારા એકાઉન્ટને વેરિફાઈ કરતી નથી ત્યાં સુધી તમારા ખાતામાં રૂપિયા આવશે નહીં. જેવું રાજય સરકારનું વેરિફિકેશન મળે છે તો એફટીઓ જનરેટ થાય છે અને પછી જ કેન્દ્ર સરકાર એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે.