PM Kisan યોજનામાં પતિ અને પત્ની બંનેને આ યોજનાનો લાભ મળી શકતો નથી. અરજી કરતા પહેલા જાણી લો શું નિયમો અને શરતો.
PM Kisan યોજનામાં આ લોકોને નથી મળતો લાભ
જાણો સ્કીમનો લાભ લેવાના શુ છે નિયમ અને શરતો
કોણ નથી આ યોજના માટે લાયક
PM Kisan સમ્માન નિધિ યોજનાના આધારે સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરે છે. તેમાં તેમને 2000 રૂપિયાના હપ્તા સીધા તેના ખાતામાં આપવામાં આવે છે. ખેડૂતોને અત્યાર સુધી 8 હપ્તા મળ્યા છ અને 9મા હપ્તાની તેઓ રાહ જોઈ રહ્યા છે. આ યોજનાને લઈને લોકોને અનેક શંકા છે તો જાણો કોને આ યોજનાનો લાભ મળે છે અને કોને નહીં.
કોને મળશે આ યોજનાનો લાભ
પતિ પત્ની બંનેને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળી શકતો નથી. જો કોઈ આવું કરે છે તો તેને દગાખોર ગણવામાં આવે છે. સરકાર તેની પાસેથી રિકવરી કરી શકે છે. આ સિવાય અન્ય અનેક વાતો છે જે ખેડૂતને અપાત્ર બનાવે છે. ખેડૂત પરિવારમાં કોઈ ટેક્સ ભરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળતો નથી. પતિ કે પત્નીમાંથી કોઈ પણ ઈન્કમ ટેક્સ ભર્યો છે તો તેમને આ યોજનાનો લાભ મળતો નથી.
કોણ નથી આ યોજના માટે લાયક
જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ ખેતીના કામમાં ન કરે અને અન્ય કામમાં કરે છે અને અન્ય ખેતરમાં ખેતીકામ કરે છે અને તે ખેતર તેનું પોતાનું નથી તો તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. જો કોઈ ખેડૂત ખેતી કરે છે પણ ખેતર તેના નામે નહીં પણ પરિવારના અન્ય સભ્યના નામે છે તો પણ તેને આ લાભ મળતો નથી.
આ લોકોને પણ નહીં મળી શકે લાભ
જો કોઈ ખેતીની જમીનનો માલિક છે પણ સરકારી કર્મચારી છે કે રિટાયર થઈ ચૂક્યો છે તો હાલના કે પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. અપાત્ર લોકોના લિસ્ટમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પરિવારના લોકો આવે છે. ઈન્કમ ટેક્સ આપનારા પરિવારને પણ આ યોજનાનો ફાયદો મળશે નહીં.