પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 12.50 કરોડ લાભાર્થી 11મા હપ્તાની રાહ જોઈ રહ્યાં છે. 11મો હપ્તો ક્યારે આવશે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ આશા છે કે 11મો હપ્તો એપ્રિલથી જુલાઈની વચ્ચે આવી શકે છે.
PM કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી
યોજનાનો લાભ લેનારા લોકોની કરાશે ચકાસણી
ગેરલાયક લોકોનુ નામ યોજનાની યાદીમાંથી હટાવવામાં આવશે
1 મેથી 30 જૂનની વચ્ચે થશે સોશિયલ ઑડિટ
આ દરમ્યાન પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી રહી છે. સરકારને અહેવાલ મળ્યાં છે કે ઘણા ગેરલાયક લોકો પણ કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. એવામાં યોજનાનો લાભ લેનારા બધા લોકોની ચકાસણી કરવામાં આવશે. જેના માટે 1 મેથી 30 જૂનની વચ્ચે યોગ્ય સામાજિક ઑડિટ કરાઈ રહ્યું છે. આ ઑડિટમાં ગ્રામ સભા દ્વારા લાયક અને ગેરલાયક લોકો અંગે જાણકારી એકત્રિત કરવામાં આવશે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદી તરફથી આ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો.
ગ્રામ સભા જોઈને ગેરલાયક લોકોની માહિતી અપાશે
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી બધા જિલ્લાના ડીએમ, સીડીઓ અને નાયબ કૃષિ નિયામકોને આ બાબતે પત્ર મોકલવામાં આવ્યો છે. સરકાર તરફથી મોકલવામાં આવેલા પત્ર મુજબ ગ્રામ સભા તરફથી યોજનાનો લાભ લેનારા લોકોની યાદી જોઈને ગેરલાયક લોકોને જાણકારી આપવામાં આવશે. આ સાથે વંચિત લાભાર્થીઓને પસંદ કરવામાં આવશે. યાદીમાંથી ગેરલાયક લોકોના નામ હટાવવામાં આવશે અને લાયક લોકોના નામ જોડવામાં આવશે. લાભાર્થીઓની યાદીમાંથી મૃતકો, એક જ પરિવારમાંથી ડબલ લાભ લેનારા લોકોનુ પણ નામ હટશે.