પીએમ કિસાન સમ્માન નિધિ (PM Kisan Samman Nidhi Scheme) ના આધારે કેન્દ્ર સરકારની તરફથી ખેડૂતોને 6000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. પરંતુ આ યોજનામાં હવે ગરબડની ઘટનાઓ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ યોગ્યતા વિનાના લોકોના એકાઉન્ટમાં રૂપિયા પહોંચવાની માહિતી મળી રહી છે.
PM Kisan Yojnaમાં ગરબડ
રજિસ્ટ્રેશન વિના જ ખાતામાં આવ્યા રૂપિયા
UIDAI અને TRAIના પૂર્વ ચીફના ખાતામાં આવ્યા 6000 રૂપિયા
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના સાતમી વખતના રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવાનું શરૂ કરાયું છે ત્યારે આ યોજનાના આધારે 3 વર્ષથી ખેડૂતોના ખાતામાં સરકાર દર વર્ષે 6000 રૂપિયા મોકલી રહી છે. હવે આ યોજનામાં ગરબડની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક જગ્યાઓએ યોગ્યતા વિનાના લોકોના એકાઉન્ટમાં રૂપિયા મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ એવા લોકો છે જેઓએ યોજના માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી.
જાણો કોને મળ્યા રૂપિયા
મની કંટ્રોલમાં છપાયેલા એક સમાચારના આધારે પીએમ કિસાન સમ્માન નિધિના આધારે UIDAI અને TRAIના પૂર્વ ચીફના એસબીઆઈના ખાતામાં વર્ષમાં 2 વાર પીએમ કિસાન સમ્માન નિધિના આધારે 6000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જ્યારે તેઓએ આ સ્કીમ માટે ક્યારેય રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. તેમ છતાં તેમનું રજિસ્ટ્રેશન થયું છે. તેઓ કહે છે કે તેની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકારે ઓળખ કર્યા વિના કેવી રીતે વેરિફિકેશન કર્યું.
8 જાન્યુઆરી 2020એ ખુલ્યું હતું એકાઉન્ટ
શર્માએ કહ્યું કે પીએમ કિસાન સમ્માન નિધિના આધારે મારા બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાની રકમ 3 હપ્તામાં જમા થઈ છે. શર્માના નામથી આ એકાઉન્ટ 8 જાન્યુઆરી 2020માં ખોલાયું હતું અને સાથે 9 મહિના એક્ટિવ રહ્યા બાદ 24 સપ્ટેમ્બરે ડિએક્ટીવેટ કરાયું હતુ. તેઓએ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક ખેડૂતના નામ પર રજિસ્ટર્ડ હતું. તેમના એસબીઆઈના એકાઉન્ટમાં રૂપિયા મોકલવામાં આવ્યા હતા તે એક હિંદુ અવિભાજિત પરિવારનું એકાઉન્ટ છે. તેનો ઉપયોગ કૃષિ ઉપજ અને વ્યયના વેચાણની આવક મેળવવા કરાતું હતું.
શર્માએ કહ્યું પોતે અયોગ્ય છે
શર્માએ કહ્યું કે તેમને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તેઓએ બેંકને જાણ કરી. તેનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. શર્માના નામથી બનેલા એકાઉન્ટને ડિએક્ટીવેટ કરી દીધા છે. શર્માએ કહ્યું કે તેઓ પીએમ કિસાન સમ્માન નિધિની રકમ મેળવવા અયોગ્ય છે કારણ કે તેઓ ઈન્કમ ટેક્સ ભરે છે.
આ રીતે થઈ રહી છે ગરબડ
એક્ટર ભગવાન હનુમાન, ISI જાસૂસ મહેબૂબ અખ્તર અને એક્ટર રિતેશ દેશમુખના નામથી પીએમ કિસાન સમ્માન યોજનાનું એકાઉન્ટ બનાવાયું છે. તેમના આધાર કાર્ડ સાર્વજનિક રીતે કામ કરી રહ્યા છે. હનુમાનના એકાઉન્ટમાં 6000 રૂપિયા, મહેબૂબ અખ્તરના એકાઉન્ટમાં 4000 રૂપિયા અને રિતેશ દેશમુખના એકાઉન્ટમાં પણ 2000 રૂપિયા મોકલાયા છે.