PM મોદી સન્માન નિધી ગોટાળાને લઇને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, કેન્દ્ર સરકારને સમગ્ર મામલાની જાણકારી છે અને આ મામલે તપાસનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે એટલે લાભાર્થીઓની તપાસ કરાવી શકે છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સ્કીમ હેઠળ લાભાર્થી ખેડૂતોની ઓળખ કરવાની જવાબદારી રાજ્ય સરકાને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, તમિલનાડુમાં થયેલ ગોટાળા વિશે રાજ્ય સરકારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 47 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી ચુકી છે. આ મામલે CBCID તપાસ પણ કરી રહી છે અને અત્યાર સુધીમાં 10 કેસ નોંધાઇ ચુક્યા છે જેમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લોગઇન આઇડી એક્ટિવેટ કરાયા
તોમરે આ મામલે વધુમાં કહ્યું કે, કેસ સામે આવ્યા બાદ બ્લોક અને જિલ્લા કક્ષાએ પીએમ કિસાન લોગઇન આઇડી એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ કૌભાંડમાં સંડોવાયેલા 19 સ્ટાફને હટાવી દેવાયા છે.
3 આસિટન્ટ ડાયરેક્ટર્સને કાઢી નાખવામાં આવ્યા
આ સિવાય બ્લોક લેવલ પર 3 આસિટન્ટ ડાયરેક્ટર્સને કાઢી નાખવામાં આવ્યા છે. જેમના પર આરોપ છે કે, તેમણે સુપરવિઝનમાં ગરબડી કરી અને સમગ્ર મામલાની જાણકારી ઉચ્ચ અધિકારીઓને ન આપી. આપને જણાવી દઇએ કે, દેશના કેટલાક વિસ્તારમાં આ યોજનનો લાભ ન પહોંચવાને લઇને કેટલીય વખત ખોટા ડેટાની એન્ટ્રી કરવાથી થાય છે.