મોદી સરકાર તેમના બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM-Kisan) હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાયતામાં વધારો કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં, ભાજપે તેની સારી રાજકીય ઉપજ પ્રાપ્ત કરી છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરાયો નિર્ણય
હવે, વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અને ગ્રામીણ અર્થતંત્રના આરોગ્યમાં સુધારો કરવા માટે, સરકાર આ યોજના હેઠળ મળતા વાર્ષીક 6000 થી વધારીને 8000 કરી શકે છે. તેલંગણા તથા ઓરિસ્સાની સરકારે પોતાના રાજ્યોના ખેડૂતોને મોદી સરકારથી પણ વધારે સહાયતા આપી છે.
હવે સીધા જ રુપિયા ખાતામાં થઇ રહ્યા છે જમાં
આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 4 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ 4-4 હજાર રૂપિયાનો લાભ મળી ચૂક્યો છે. પહેલી વખત ત્યારે જ્યારે ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થયા હતા. કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા 100 ટકા પૈસા મળ્યા હતા. નહીંતર અત્યાર સુધી તો ખેડૂતો માટે હજારો કરોડના બજેટ બનતા હતા અને તે પૈસા અધિકારી તથા બાબુઓ મળીને ફાઇલોમાં જ ચાઉં કરી જતા હતા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડો. સૌમ્ય કાંતિ ઘોષે પોતાના એક રિસર્ચ પેપરમાં કહ્યું કે, પ્રઘાનમંત્રી કિસાન સન્માન નિધિના 14 કરોડ ખેડૂતો સુધી વિસ્તાર કરવો એક પોઝિટીવ સ્ટેપ છે.
એગ્રીકલ્ચર સેક્ટર પર SBI નો રિપોર્ટ
ઓરિસ્સા કેબિનેટે 10,000 કરોડ રૂપિયાની Krushak Assistance for Livelihood and Income Augmentation (KALIA) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ ઓરિસ્સાના નાના ખેડૂતોને રવિ તથા ખરીફ પાક માટે પ્રતિ સીઝન 5-5 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જોગવાઇ છે. નવીન પટનાયકની સરકારે આ યોજના હેઠળ 50 હજાર રૂપિયાનું ફસલ વ્યાજ 0 % પર આપવાની જોગવાઇ કરી છે. જ્યારે અન્ય જગ્યાએ ખેડૂતોને 4 ટકા જેટલું તો વ્યાજ ચૂકવવું જ પડે છે.