મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા અને ખેતીમાં તેમની મદદ કરવા 2018માં એક ખાસસ્કીમ શરૂ કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે સરકાર ખેડૂતોને 6000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ 6,000 રૂપિયા વર્ષે 3 હપ્તાના આધારે આપે છે. 4 મહિનામાં એક હપ્તો આવે છે. અત્યાર સુધીમાં સરકારે 6 હપ્તામાં પૈસા ખેડૂતોને આપ્યા છે. સાતમો હપ્તો પણ ડિસેમ્બરથી આવવાનો શરૂ થઈ ચૂક્યો છે.
મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા 2018માં એક ખાસ સ્કીમ શરૂ કરી હતી
અત્યાર સુધીમાં સરકારે 6 હપ્તામાં પૈસા ખેડૂતોને આપ્યા છે
સાતમો હપ્તો પણ ડિસેમ્બરથી આવવાનો શરૂ થઈ ચૂક્યોછે
એવા લાખો ખેડૂતો છે જેમનો સાતમો હપ્તો અટકી ગયો છે. તેમનાથી આધાર નંબર અથવા એકાઉન્ટ નંબર આપવામાં કોઈ ભૂલ થઈ હશે. તેથી, તેમને હજી સાતમા હપ્તાના 2000 રૂપિયા મળ્યા નથી. એવામાં જો તમે પણ કોઈ ખોટી માહિતી ભરી છે, તો તે પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સુધારી શકાય છે.
આ રીતે સુધારો ભૂલ
સૌથી પહેલા તમારી પીએમ કિસાન (PM Kisan)ની ઑફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર વિઝીટ કરવાનું છે. તે બાદ અહીં તમને Farmers Cornerનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવા પર આધાર એડિટનો ઓપ્શન દેખાશે. તેમાં ક્લિક કરવા પર એક નવું પેજ ખુલશે. જ્યાં તમે તમારો આધાર નંબર સુધારી શકો છો. આ ઉપરાંત જો તમારા એકાઉન્ટ નંબરમાં ભૂલ થઇ ગઇ હોય તો તમારે તમારા એકાઉન્ટન્ટનો સંપર્ક કરવો પડશે, જે તમારી ભૂલને સુધારી આપશે.
આ રીતે એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે પૈસા
પીએમ કિસાન નિધિ અંતર્ગત ખેડૂતોએ ઑનલાઇન અપ્લાય કરવાનું હોય છે. તે બાદ તે એપ્લિકેશનને રાજ્ય સરકાર તમારા રેવન્યૂ રેકોર્ડ, આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરવામાં આવે છે. રાજ્ય સરકાર જ્યા સુધી તમારા એકાઉન્ટને વેરિફાય નહી કરે ત્યાં સુધી પૈસા નહી આવે. જેવું રાજ્ય સરકાર વેરિફાય કરી દેશે તો પછી FTO જનરેટ થાય છે. તે બાદ કેન્દ્ર સરકાર એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.
કોને મળે છે આ સ્કીમનો લાભ
એવા ખેડૂતો જે ભૂતપૂર્વ અથવા વર્તમાનમાં બંધારણીય પદ ધારક છે, વર્તમાન અથવા પૂર્વ મંત્રી છે, મેયર અથવા જિલ્લા પંચાયત અધ્યક્ષ છે, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદ છે તો તે આ સ્કીમથી બહાર માનવામાં આવશે. ભલે તે ખેડૂત હોય.
કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહી મળે. બાકી પાત્ર હશે.
વ્યવસાયી, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કેટેક્ટ, જે ક્યાંય ખેતી પણ કરતા હોય તેને લાભ નહી મળે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ચતુર્થી શ્રેણી/સમૂહ ડી કર્મચારીઓ લાભ મળશે.
પાછલા નાણાકીય વર્ષમાં ઇનકમ ટેક્સની ચુકવણી કરતા ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.