પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકમાં આજે પીએમ ખેડૂત સમ્માન નિધિનાં લાભાર્થીઓ માટે 13માં હપ્તાની જાહેરાત કરી હતી. જો તમે પણ આ યોજનાનાં લાભાર્થી છો તો તમને smsની મદદથી આ અપડેટ મળી જશે. જાણો તમામ માહિતી.
કેન્દ્ર સરકારે 8 કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓનાં ખાતામાં 16 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે રકમ ટ્રાન્સફર કરી છે. આ ધનરાશિ ખેડૂતોનાં આર્થિક અને સામાજિક સશક્તિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. કર્ણાટકનાં બેલગાવીમાં વિશાળ સભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પીએમ ખેડૂત સમ્માન નિધિ યોજના અંતર્ગત વગર કોઈ વચેટિયા, લાભાર્થી ખેડૂતોનાં બેંક ખાતામાં સીધાં 2.5 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યાં છે. તેમાંથી 50000 કરોડ રૂપિયાથી વધારે ખેડૂતો બહેનોને મળે છે.
आजकल हमारे देश में, कर्नाटक में स्टार्टअप्स की बहुत चर्चा होती है। मगर हम देखें तो बेलगावी में तो 100 साल पहले ही स्टार्टअप्स की शुरूआत हो गई थी और तभी से बेलगावी अनेक प्रकार की उद्योग के लिए इतना बड़ा बेस बन गया है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/uHwOZUhyET
SMS દ્વારા પહોંચાડવામાં આવશે માહિતી
કેટલાક ખેડૂતોનાં મનમાં શંકા છે કે આ 13માં હપ્તાનાં પૈસા ખાતામાં પહોંચ્યાની માહિતી તેમને કઈરીતે મળશે. તો e-kyc અને આધાર સીડિંગ અપડેટ બાદ બેંકો તરફથી ખેડૂતોને smsનાં માધ્યમથી માહિતી પહોંચાડી દેવામાં આવશે.
હેલ્પલાઈન નંબર પર કરી શકો છો ફરિયાદ
આ 13માં હપ્તાની જાહેરાત બાદ થોડા સમયમાં જ તમારા એકાઉન્ટમાં 2 હજાર રૂપિયા જમા થઈ જશે. ખેડૂત ભાઈઓ ઈચ્છે તો આ લાભ મેળવવામાં થઈ રહેલા વિલંબ અંગે કૃષિ મંત્રાલયની હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકે છે. વધુ માહિતી મેળવવા માટે બેંકોનો સંપર્ક કરવો અથવા તો ઈ-મિત્ર કેન્દ્ર પર જઈને જાણકારી મેળવવી.
અહીંથી કરી શકશો ફરિયાદ:
જો રકમ તમારા એકાઉન્ટમાં નથી પહોંચી અથવા વધુ સમય લાગી રહ્યો છે તો યોજનાનાં ઓફિશિયલ પોર્ટલ પર pmkisan.gov.in પર જઈને helpdesk પર ફરિયાદ નોંધી શકશો.
અથવા હેલ્પલાઈન નંબર- 155261
ટોલ ફ્રી નંબર- 18001155266, 011-23381092 પર કોલ કરી શકો છો.