પીએમ કિસાન હેઠળ લાભ ઉઠાવવા ખેડૂતો માટે કામના સમાચાર છે. જો કોઈએ ખોટી રીતે આ યોજનાનો ફાયદો લીધો છે અને લઇ રહ્યાં છે, તો એવા લોકોએ હપ્તાના પૈસા પાછા આપવા પડશે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ સરકાર હવે આકરા પગલા ભરી રહી છે.
પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ સરકાર હવે કડક મૂડમાં
જે લોકોએ આ યોજનાનો ખોટી રીતે ફાયદો લીધો છે તેની હવે ખેર નથી
લગભગ 7 લાખ ખેડૂતોએ ખોટી રીતે પૈસા ઉપાડ્યા
ખોટી રીતે હપ્તો ઉપાડનારા લોકો હવે બચશે નહીં
આ યોજના હેઠળ ખોટી રીતે હપ્તો ઉપાડનારા લોકો હવે બચી શકશે નહીં. આવા ખેડૂતો પાસેથી ઉઘરાણીની પ્રક્રિયા પણ જલ્દી શરૂ થશે. મીડિયા રિપોર્ટસ મુજબ, લગભગ 7 લાખ ખેડૂતોએ 10મા હપ્તા મુજબ ખોટી રીતે પૈસા ઉપાડ્યા છે. છેતરપિંડીમાં પતિ-પત્નીથી લઇને મૃતક ખેડૂત, કરદાતાઓ, પેન્શન ધારકો, ખોટા ખાતામાં મની ફંડ ટ્રાન્સફર, ખોટા આધાર વગેરે મામલા સામેલ છે.
મૃતક ખેડૂતો પણ ઉપાડી રહ્યાં છે હપ્તો
ગેરકાયદે લાભાર્થીઓની આ મોટી સંખ્યામાં સૌથી વધુ ખોટા ખાતા અથવા નકલી આધાર વાળાનો છે. બીજા નંબરે આવકવેરો ચૂકવનારા છે. તો ઘણા લાભાર્થીઓ એવા પણ છે, જેનું પહેલા મૃત્યુ થઇ ગયુ છે. તેમ છતાં તેઓ દર વર્ષે 2000-2000ના ત્રણ હપ્તા ઉપાડી રહ્યાં છે. એવામાં સરકારે આ વખતે કડક પગલા ઉપાડ્યા છે. આવા ખેડૂતોની ઓળખ કરી તેમની પાસેથી પૈસા પાછા લેવામાં આવશે.
દેશમાં લાખો અયોગ્ય લોકો ઉપાડી રહ્યાં છે હપ્તો
દેશમાં 7 લાખથી વધુ ગેરકાયદે લોકોએ ખોટી રીતે પીએમ કિસાનના 10મા હપ્તાના પૈસા ઉપાડ્યા છે. આની પહેલા દેશમાં 42 લાખથી વધુ પાત્રતા ના ધરાવતા હોય તેવા લોકોએ પીએમ કિસાન હેઠળ 2000-2000 રૂપિયાના હપ્તા તરીકે 2900 કરોડ રૂપિયાનો ચૂનો સરકારને લગાવ્યો છે.