મીડિયા રિપોર્ટમાં પહેલા 12મો હપ્તો સપ્ટેમ્બરમાં આવવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હવે આ હપ્તો ઓક્ટોબરમાં આવવાની આશા સેવાઈ રહી છે.
પીએમ કિસાનના 12મા હપ્તા પર મોટુ અપડેટ
કૃષિ મંત્રીએ જણાવ્યું, ખાતામાં ક્યારે આવશે પૈસા
આ હપ્તો ઓક્ટોબરમાં આવવાની આશા છે
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આપ્યું અપડેટ
પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ઓગષ્ટથી નવેમ્બરની વચ્ચે આવવાનો છે. ગયા વર્ષે ઓગષ્ટના બીજા અઠવાડિયામાં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં આવી ગયા હતા. પરંતુ આ વખતે આ હપ્તો ક્યારે આવશે. જેને લઇને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટમાં પહેલા 12મો હપ્તો સપ્ટેમ્બરમાં આવવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હવે આ હપ્તો ઓક્ટોબરમાં આવવાની આશા સેવાઈ રહી છે. પરંતુ તેની પર લેટેસ્ટ અપડેટ ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આપ્યું છે.
21 લાખ ખેડૂત છે અયોગ્ય
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો સ્થળની ચકાસણી પૂરી થયા બાદ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે નવુ લિસ્ટ તૈયાર થયા બાદ ખેડૂતોના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી થયેલા સર્વેમાં 21 લાખ ખેડૂત અયોગ્ય છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં 2.85 કરોડ ખેડૂત યોજના માટે લાયક હતા. તેમને કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાયદો આપવામાં આવતો હતો. પરંતુ ફરિયાદ મળ્યાં બાદ તપાસ શરૂ કરવામાં આવી.
ટીમો દ્વારા સર્વે શરૂ કરાવી દેવામાં આવ્યો
તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે 77 હજાર મૃત ખેડૂતોના ખાતા નિધિના પૈસા મોકલી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત લાખો અયોગ્ય ખેડૂત પણ યોજનાનો ફાયદો લઇ રહ્યાં છે. આખા રાજ્યના ગામમાં યોજના માટે ટીમો દ્વારા સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના 96,459 ગામમાં ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે. કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ એવુ પણ જણાવ્યું કે જે અયોગ્ય ખેડૂતોને નિધિના પૈસા આપવામાં આવ્યાં છે, આગામી સમયમાં તેમની પાસેથી તેમની વસૂલી પણ કરવામાં આવશે.