જો તમે પણ PM કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે ખુશખબર છે.
ખેડૂતોના ખાતામાં જમા થશે 4 હજાર રૂપિયા
પાછલા હપ્તાના પૈસા નથી આવ્યા તો એકી સાથે આવશે 4000 રૂપિયા
જાણો કઈ તારીખે ખાતામાં ટ્રાન્સફર થશે પૈસા
ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે. જો તમે પણ પીએમ કિસાન યોજના(PM Kisan Samman Nidhi Yojana)ના લાભાર્થી છો તો તમને ટૂંક સમયમાં જ ખુશખબર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 10માં હપ્તાની રકમ ખાતામાં જમા કરવાની તારીખ નક્કી થઈ ગઈ છે.
અત્યાર સુધી કેન્દ્રએ ભારતમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)ના 10માં હપ્તાની રકમ જાહેર કરવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020એ ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
આ ખેડૂતોના ખાતામાં આવશે 4 હજાર રૂપિયા
જે ખેડૂતોને પીએમ કિસાનનો છેલ્લો હપ્તો નથી મળ્યો તેમને હવેના હપ્તાની સાથે જ છેલ્લા હપ્તાની રકમ મળી જશે. એટલે કે ખેડૂતોના ખાતામાં સીધા 4000 રૂપિયા જમા થશે. જોકે આ સુવિધા એમને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું હોય. જો તમારી અરજી સ્વીકારી લેવામાં આવશે તો તમારા રૂપિયા ઓક્ટોબરમાં 2000નો હપ્તો અને 2000નો હપ્તો ડિસેમ્બરમાં મળી જશે.
6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર
પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂતો છો પરંતુ આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો. જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.