પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાના રૂપિયા અત્યાર સુધી લગભગ 48 લાખ ખેડૂતોને મળ્યાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરી, 2022થી પીએમ કિસાનનો 10મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ લગભગ 2 મહિના બાદ કોઈના કોઈ કારણોસર ખેડૂતો આ 2000 રૂપિયા પ્રાપ્ત કરી શક્યા નથી.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 48 લાખ ખેડૂતોને મળ્યાં નથી
લગભગ 2 મહિના બાદ કોઈ કારણોસર 2000 રૂપિયા ખેડૂતોને મળ્યાં નથી
કુલ 12 કરોડ 49 લાખ ખેડૂતો આ યોજના હેઠળ રજીસ્ટર્ડ
ખેડૂતો માટે ઈ-કેવાઈસી કરાવવુ પણ ફરજીયાત કરાયું
ખેડૂતો માટે ઈ-કેવાઈસી કરાવવુ પણ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. પીએમ કિસાન હેઠળ દરેક વર્ષે ખેડૂતોને 2-2 હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 2019માં થઇ હતી અને અત્યાર સુધી 10મો હપ્તો ખેડૂતોને મળ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડા મુજબ, કુલ 12 કરોડ 49 લાખ ખેડૂતો આ યોજના હેઠળ રજીસ્ટર્ડ છે. 10મા હપ્તા માટે તેમાંથી કુલ 10.71 કરોડ ખેડૂતોનો એફટીઓ જનરેટ થયો હતો અને 10.22 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 1લા હપ્તાના પૈસા પહોંચી ગયા છે. જે ખેડૂતોનો એફટીઓ જનરેટ થયો હતો. તેમાંથી 27.03 લાખ ખેડૂતોની ચૂકવણી પેન્ડિંગ છે. તો 21.67 ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા નથી.
11મા હપ્તા માટે e-KYC જરૂરી
જેનો અર્થ એવો થયો કે સરકાર તરફથી રૂપિયા મોકલવામાં આવ્યાં છે. પરંતુ કોઈ કારણોસર ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પહોંચ્યા નથી. પીએમ કિસાનના પૈસા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ મોકલવામાં આવે છે. આ યોજના સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારની યોજના છે અને જેનુ બજેટ કેન્દ્ર જ ફાળવે છે. પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે ઈ-કેવાઈસી કરાવવુ જરૂરી છે. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, ઈ-કેવાઈસી કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. જો ખેડૂત 31 માર્ચ પહેલા ઈ-કેવાઈસી અપડેટ નથી કરાવતા તો તેઓ 11મા હપ્તાથી વંચિત રહી જશે. ખેડૂત સત્તાવાર વેબસાઈટ પર જઇને આધાર અને મોબાઈલ નંબર દ્વારા ઓટીપી દ્વારા ઈ-કેવાઈસી અપડેટ કરાવી શકે છે. આ સાથે તેઓ નજીકના સીએસસી સેન્ટરમાં જઇને આધારના બાયોમેટ્રીક દ્વારા પણ આ કામ કરાવી શકે છે.