પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના અનેક ખેડૂતોને આર્થિક સહાયનો લાભ આપવામાં આવે છે ત્યારે આમાં લાખો ખેડૂતો એવા છે જે યોજના માટે અયોગ્ય છે અને યોજનાનો લાભ લઈ રહ્યા છે.
પીએમ કિસાન યોજનામાં લાખો લાભાર્થી નીકળ્યા અયોગ્ય
ગુજરાતનાઆ 1.64 લાખ લાભાર્થીઓ અયોગ્ય
અયોગ્ય લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરશે મોદી સરકાર
સૌથી વધુ અયોગ્ય લાભાર્થી પંજાબના
પીએમ કિસાન સમ્માન નિધિ સિસ્ટમમાં 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓએ 1,364 કરોડ રૂપિયા પચાઈ માર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધારે અયોગ્ય લાભાર્થી પંજાબના છે અને તે બાદ મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપીનો નંબર આવે છે. આ અયોગ્ય લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ખોટી રીતે લેવામાં આવેલા પૈસા જો પાછા આપવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
આવા ખેડૂતો પાસેથી પૈસા કરવામાં આવશે
નોંધનીય છે એ અયોગ્ય લાભાર્થીઓમાં સૌથી વધુ 23.6% લાભાર્થીઓ પંજાબનાઆ છે અને તે બાદ અસમનું નામ આવે છે. ગુજરાતમાં કુલ 1.64 લાખ લાભાર્થીઓ અયોગ્ય છે. નોંધનીય છે કે ઘણા બધા ખેડૂતોને તે વાતની જાણ નથી કે જો તેમના પરિવારમાં કોઇ ટેક્સપેયર હોય તો ખેડૂતને આ યોજનાનો લાભ મળી શકે નહીં. જે બાદ આવા ખેડૂતોનો આંકડો ખૂબ મોટો થઈ જતાં હવે તેમની પાસેથી યોજનાની રકમ વસૂલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કોણ છે આ અયોગ્ય લાભાર્થીઓ :
જે લોકો ખેતીની જમીનનો ઉપયોગ બીજા કામોમાં કરી રહ્યા છે.
જો કોઇ ખેડૂત ખેતી કરી રહ્યો છે પણ ખેતર તેના નામ પર નથી અથવા પિતા કે દાદાના નામ પર છે તો પણ આ યોજનાનો લાભ લઈ શકે નહીં.
જો કોઇ ખેતરનો માલિક છે પણ પોતે સરકારી કર્મચારી છે અથવા નિવૃત્ત થઈ ગયો છે. અથવા તો પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે નહીં. રજિસ્ટર્ડ ડૉક્ટર, એન્જિયનીયર, એડ્વોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ અથવા તેમના પરિવારજનોને આ યોજનાનો લાભ મળી શકે નહીં.
ઇન્કમ ટેક્સ ભરતા પરિવારો અથવા તો 10000 રૂપિયાની પેન્શન મેળવતા ખેડૂતોને આ યોજનાનો લાભ ન મળી શકે.