પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમનો 10મો હપ્તો દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યો છે. આ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.
જેને પૈસા ના મળ્યાં હોય તે હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકશે
અહીં કરો ફરિયાદ
જો કે કેટલાંક ખેડૂતો એવા પણ છે, જેને હપ્તાના પૈસા હજી સુધી મળ્યાં નથી. એવામાં સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકો છો. આ સિવાય ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારી પાસેથી પણ સંપર્ક કરી શકો છો. ખેડૂત સન્માન નિધિનો હપ્તો ના મળ્યો હોય તો તેની ફરિયાદ પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર નોંધાવી શકો છો. જેના માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 / 011-23381092 પર કૉલ કરી શકો છો.
આ કારણે અટકી જાય છે હપ્તાના પૈસા
આ ઉપરાંત સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિસાન હેલ્પ ડેસ્કને ઈ-મેલ [email protected] પર સંપર્ક કરી શકો છો. ક્યારેક-ક્યારેક તો સરકાર તરફથી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પરંતુ ખેડૂતોના ખાતામાં પહોંચતા નથી. જેનુ સૌથી મોટું કારણ તમારુ આધાર, એકાઉન્ટ નંબર અને બેન્ક એકાઉન્ટમાં ભૂલ હોઇ શકે છે.
ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયા આર્થિક સહાયતા આપે છે
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયા આર્થિક સહાયતા આપે છે. આ રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવે છે. 6000 રૂપિયાની આ રકમ 2000-2000ના ત્રણ હપ્તામાં જ જમા કરવામાં આવે છે. જો કોઈ ખેડૂતને આ સ્કીમ હેઠળ રૂપિયા મળતા નથી તો તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની હેલ્પલાઈન પર ફોન કરી તેની માહિતી લઇ શકો છો.