જો તમે પણ જન ધન ખાતું ખોલાવવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતા ધારકોને 1.30 લાખ રૂપિયાનો ફાયદો મળશે.
ખાતા ધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે
જનધન ખાતાના છે ઘણા બધા ફાયદા
નવુ ખાતુ ખોલાવવામાં પણ છે સરળતા
ખાતા ધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે
જો તમે પણ જન ધન ખાતું ખોલાવવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતા ધારકોને 1.30 લાખ રૂપિયાનો ફાયદો મળશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવી લો. કારણકે આ યોજના અંતર્ગત ઘણી બધી નાણાકીય સહાય મળશે. પણ મહત્વની વાત એ જાણી લો કે તમને કઈ રીતે 1.30 લાખ રૂપિયાનો ફાયદો કઈ રીતે મળશે.
પ્રધાનમંત્રી જનધન ખાતા અંતર્ગત ખોલવામાં આવેલ ખાતામાં ખાતા ધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. જેમાં દુર્ઘટના વીમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતાધારકને 1,00,000 રૂપિયાનો દુર્ઘટના વીમો અને સાથે જ 30,000 રૂપિયાનો જનરલ વીમો પણ કવર કરવામાં આવ્યો છે. જો ખાતાધારકનો અકસ્માત થાય છે તો તેને 30,000 રૂપિયા આપવામાં આવે છે અને જો અકસ્માતમાં ખાતાધારકનું મોત થઈ જાય છે તો તેને એક લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કુલ 1.30 લાખનો ફાયદો થાય છે.
જનધન ખાતાના ફાયદા
ડિપોઝીટ પર વ્યાજ મળે છે અને તે સિવાય મોબાઇલ બેન્કિંગની પણ સુવિધા આપવામાં આવે છે. જનધન ખાતુ છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા 10000 રૂપિયા સુધી પૈસા કાઢી શકો છો પરંતુ આ સુવિધા થોડા મહિના બાદ મળે છે. આ સાથે જ બે લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર મળે છે. 30000 રુપિયા સુધીનું લાઇફ કવર અને જો લાભાર્થીની મૃત્યુ પર યોગ્યતા શરતો પૂરી થવા પર મળે છે. જનધન ખાતુ ખાલવા પર રુપે ડેબિટ કાર્ડ મળે છે જેનાથી પૈસા નીકળી શકે છે અને ખરીદી પણ થઇ શકે છે. PMJDY હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં મિનીમમ બેલેન્સ મેઇન્ટેન કરવાની જરૂર હોતી નથી. જો ચેકબુકની સુવિધા જોઇએ છે તો તમારે મિનીમમ બેલેન્સ મેઇન્ટેન કરવુ પડશે.
નવુ ખાતુ ખોલવુ હોય તો
જો તમારે નવુ જનધન ખાતુ ખોલવુ હશે તો તમારે નજીકની બેન્કમાં જવુ પડશે અને ફોર્મ ભરવુ પડશે તેમાં તમારી બધી ડિટેલ્સ ભરીને અપ્લાય કરવુ પડશે. પોતાનું નામ, એડ્રેસ, મોબાઇલ નંબર, બ્રાંચનું નામ, એસએસએ કોર્ડ નંબર વગેરે ભરીને સબમિટ કરી દેવાનું રહેશે. તમારી પાસે જનધન ખાતુ નથી અને તમારે ખાતુ ખોલાવવું છે તો તમારા જૂના અકાઉન્ટને જ જનધનમાં કનવર્ટ કરાવી શકો છો. જેના માટે તમારે બેન્કની બ્રાંચમાં જવુ પડશે અને ત્યાં જઇને ફોર્મ ભરી રુપે કાર્ડ માટે આવેદન કરવુ પડશે. આ ફોર્મ સબમિટ કર્યા બાદ તમારુ ખાતુ જનધનમાં કનવર્ટ થઇ જશે.