લાહોરમાં આતંકવાદીના ઘરની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ગણાવ્યું.
આતંકી સરગના હાફિઝ સઈદના ઘરની બહાર બોમ વિસ્ફોટ
પાકિસ્તાને કહ્યું સઈદના ઘર પાસે ભારતે કરાવ્યો બ્લાસ્ટ
યુસુફે કહ્યું ભારત દ્વારા આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે
આતંકી સરગના હાફિજ સઈદના ઘરની બહાર બોમ વિસ્ફોટ
પાકિસ્તાની સત્તાધીશો પોતોની સત્તા બચાવવા માટે ભારત પર દોષનો ટોપલો ઢોળી પાયાવિહોણા આરોપો મુકી રહ્યા છે. હવે પાકિસ્તાને ભારત પર લાહોરમાં આતંકી સરગના હાફિજ સઈદના ઘરની બહાર બોમ વિસ્ફોટ કરવાનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાને કહ્યું સઈદના ઘર પાસે ભારતે કરાવ્યો બ્લાસ્ટ
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુઈદ યુસુફે રવિવારે આરોપ લગાવ્યો છે કે મુંબઈ આતંકી હુમલાના માસ્ટમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત- ઉદ- દાવાને સરગના હાફિજ સઈદના ઘરની બહાર થયેલા બોમ્બ વિસ્ફોર્ટ પાછળ એક ભારતીય નાગરિકનો હાથ હોવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ વિસ્ફોટ ભારતની ગુપ્તચર એજન્સી રોએ કરાવ્યો છે.
યુસુફે કહ્યું ભારત દ્વારા આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે
પંજાબ પોલીસના પ્રમુખ અને માહિતી મંત્રી ફવાદ ચૌધરીની સાથે મીડિયાને સંબોધિત કરતા યુસુફે દાવો કર્યો છે કે હાફિજ સઈદના ઘરની બહાર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ એક ભારતીય નાગરિક છે. જેનો સંબંદ ત્યાની ગુપ્તચર એજન્સી રો સાથે છે. યુસુફે કહ્યું કે આ આતંકવાદીઓની પાસેથી જપ્ત કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ફોરેન્સિક વિશ્લેષણના માધ્યમથી અમે મુખ્ય માસ્ટર માઈન્ડ અને આ આતંકવાદી હુમલાના સંચાલકોની ઓળખ કરી છે. આંતકવાદ ફેલાવવા માટે જાણીતા પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર યુસુફે કહ્યું કે આઈજીએ કહ્યું કે અમારી પાસે વિદેશી ગુપ્તચર એજન્સીની ખાનગી માહિતી છે. એટલા માટે હું આજે કોઈ શંકા વગર કહેવા માંગુ છુ કે આ સમગ્ર હુમલા (પરિસ્થિતિ) ભારત દ્વારા પેદા થતા આતંકવાદથી જન્માવે છે.