પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકાર ખતરામાં છે. ઇમરાન સરકારે બહુમતિ ગુમાવી છે. ત્યારે આજે તેમણે પાકિસ્તાનને સંબોધન કર્યું છે.
ઇમરાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે રાષ્ટ્રને સંબોધન કર્યું
હું છેલ્લા બોલ સુધી લડતો રહીશ, હાર નહીં માનુંઃ ઇમરાન
ઇમરાન ખાનને સરકાર બચાવવા માટે 342 સભ્યોની સંસદમાં 172 મતની જરૂર પડશે. અવિશ્વાસ મત પર 3 એપ્રિલે મતદાન થવાનું છે. નેશનલ એમ્બેસીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા થશે. આ ચર્ચા પહેલા ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. ઇમરાને બુદવારે સૈન્ય નેતૃત્વ સાથે 2-2 વખત મુલાકાત કરી હતી. ઇમરાનના નજીકના અને પાકિસ્તાનના પૂર્વ જળ સંસાધન મંત્રી ફૈઝલ વાદાએ દાવો કર્યો છે કે ઇમરાન ખાનના જીવને જોખમ છે. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે રાષ્ટ્રને સંબોધન કર્યું છે. તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, પાકિસ્તાન માટે આજે ફેંસલાનો સમય છે. આજે દેશમાં લાઇવ વાત કરી રહ્યો છું. ઇમરાને સંબોધન દરમિયાન કહ્યું કે પાકિસ્તાન મારાથી માત્ર 5 વર્ષ મોટું છે. અમે અહીંની પહેલી જનરેશન છીએ.
હું છેલ્લા બોલ સુધી લડતો રહીશ, હાર નહીં માનુંઃ ઇમરાન
ઇમરાને આ દરમિયાન કહ્યું કે, પાકિસ્તાનનો ચુકાદો રવિવારે થશે. સંસદમાં વોટિંગ થશે અને નક્કી થશે કે પાકિસ્તાનની સત્તામાં કોણ કબજો કરશે. પરંતુ જે લોકો કહી રહ્યા છે કે ઇમરાન રાજીનામું આપશે તો તેઓ એ જાણી લે કે ઇમરાન છેલ્લા બોલ સુધી મેદાન પર અડગ રહ્યા છે અને રહેશે.
મારી વિદેશ નીતિ ભારત વિરોધી નથીઃ ઇમરાન
ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યું કે, અમેરિકાનું વકિલ બનવું મુશર્રફની મોટી ભૂલ હતી. હું આઝાદ વિદેશ નીતિનો પક્ષકાર છું. પાકિસ્તાન અમેરિકા સાથે લડ્યું અને તેમણે પ્રતિબંધ લગાવી દીધા. હું ભારત કે કોઈ બીજાનો વિરોધ નથી ઇચ્છતો. અમારી ફૉરેન પોલિસી કોઈના વિરુદ્ધ નથી. હું પહેલી વખત ભારત વિરુદ્ધ ત્યારે બોલ્યો જ્યારે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય કાયદાને 5 ઓગસ્ટ 2019એ તોડ્યા.
ન હું ઝૂકીશ અને ન તો પોતાની કોમને ઝૂકવા દઇશઃ ઇમરાન
સંબોધન દરમિયાન ઇમરાને કહ્યું કે જ્યારથી મેં સત્તા સંભાળી, પહેલા જ દિવસથી મે આવી ફૉરેન પોલિસી બનાવી જે પાકિસ્તાનના લોકો માટે હોય. પાકિસ્તાનના લોકો માટે મતલબ એ નથી કે આપણે કોઇ બીજાથી દુશ્મની કરી લઇએ। ઇમરાને કહ્યું કે, ન હું ઝૂકીશ અને ન પોતાની કોમને ઝૂકવા દઇશ. પાકિસ્તાન હિંસાના વિરોધમાં છે.
નેપાળમાં નરેન્દ્ર મોદીને છુપાઇને મળી રહ્યા હતા નવાઝ શરીફઃ ઇમરાન ખાન
ખાને કહ્યું કે, તેમના સંબંધ તે લોકો સાથે છે જે અહીં બેઠા છે. મારો સવાલ છે કે શું આ લોકોને અહીં આવવા દેશો જેમના વિરુદ્ધ અરબો રૂપિયાના કેસ છે. હું પોતાની કોમને પૂછવા માંગુ છું કે તેમના ઇન્ટેલિજન્સને તેમના અંગે બધી ખબર છે. અમારા 3 લોકો જે તેમને પસંદ આવ્યા છે તેમની શું ખાસિયત તેમને પસંદ આવી છે. આ લોકોએ ક્યારે ડ્રોન હુમલાનો વિરોધ નથી કર્યું, એટલા માટે આ લોકો પસંદ છે. બરખા દત્તાના પુસ્તકમાં લખ્યું છે કે નવાઝ શરીફ નેપાળમાં નરેન્દ્ર મોદીને મળી રહ્યા હતા પોતાની ફોઝથી બચવા માટે.
"ہمیں ایک ملک سے پیغام آیا، کہا گیا اگر تحریک عدم اعتماد کے بعد عمران خان وزیراعظم رہتا ہے تو ہمارے آپ کے ساتھ تعلقات مزید خراب ہو جائیں گے لیکن اگر عمران خان چلا جاتا ہے تو ہم پاکستان کو معاف کرد یں گے۔"