કેન્દ્ર સરકારે મે અને જૂન મહિના માટે ગરીબોને ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી છે. આ સમયે જો કોઈ ડીલર ફ્રીમાં રાશન આપવાની આનાકાની કરે છે તો તમે અહીં ફરિયાદ કરી શકો છો.
કેન્દ્ર સરકારે ફ્રીમાં રાશન આપવાની કરી છે જાહેરાત
જો ડીલર ન આપે રાશન તો કરો ફરિયાદ
જાણી લો તમારા રાજ્યનો ટોલ ફ્રી નંબર
દેશમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન મહિનામાં ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આધારે ગરીબોને 5 કિલો અનાજ ફ્રીમાં આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી 80 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ દેશના ગરીબોને ફ્રીમાં રાશન આપ્યું હતું. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમે રાશન ડીલર પાસેથી ફ્રીમાં અનાજ મેળવી રહ્યા નથી તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
જાણો તમારા રાજ્યનો ટોલ ફ્રી નંબર
નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ (NFSA)પર દરેક રાજ્યોના ટોલ ફ્રી નંબર મળી રહ્યા છે. તેની પર કોલ કરીને તમે તમારી ફરિયાદ નોઁધી શકો છો. તમે આ સિવાય NFSA ની વેબસાઈટ https://nfsa.gov.in પર જઈને મેલ લખીને પણ ફરિયાદ કરી શકો છો. દરેક રાજ્યામાં રાશન કાર્ડ બનાવવાની રીત અલગ અલગ હોય છે.
ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ
સરકારે રાશન વિતરણ પ્રણાલીની તકલીફને દૂર કરવા માટે દરેક સુધી રાશન પહોંચાડવા માટે ફરિયાદ નોંધવાની વ્યવસ્થા શરૂ કરી છે. જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાના ભોજનનો કોટા મળી રહ્યો નથી તો તે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધી શકે છે.
કોને અને કેટલું મળશે અનાજ
પીએમ ગરીબ કલ્યાણ યોજનાના આધારે રાશન કાર્ડ ધારકોને લાભ મળશે. માની લો કે તમારા રાશન કાર્ડમાં 4 લોકોના નામ છે તો એક વ્યક્તિને 5 કિલોના આધારે કુલ 20 કિલો અનાજ મળી શકે છે. આ અનાજ દર મહિને મળનારા રાશનથી અલગ હશે. જો તમે દર મહિને રાશન કાર્ડ પર 5 કિલો અનાજ મળે છે તો તમે મે અને જૂન મહિનામાં 5 કિલો વધારે અનાજ મેળવી શકો છો.
ક્યાં મળશે ફ્રીમાં રાશન
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આધારે મે અને જૂન મહિનામાં ફ્રીમાં અનાજ તે જ રાશનની દુકાન પર મળશે. જ્યાંથી રાશન કાર્ડ પર મળે છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉન સમયે આ યોજનાની શરૂઆત પીએમ મોદીએ કરી હતી.