પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ પર કવેડિયા કોલોની પહોંચ્યાં હતા. જ્યાં તેમણે સભાને સંબોધન કરતાં સરદાર પટેલને યાદ કરતા કહ્યું હતું કે સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં. જ્યારે બીજી તરફ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે યુદ્ધમાં જીતી શકતા નથી તે લોકો આપણને પડકારી રહ્યાં છે.
સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યા
સરદારે રજવાડાઓમાં ભારતીયતાનો ભાવ ઓળખ્યો
પાકિસ્તાનને લઇને કહ્યું કે કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં
પાકિસ્તાન પર પીએમના શાબ્દિક પ્રહાર
કેવડિયા કોલોની ખાતે સરદાર જયંતિ નિમિત્તે આજે પીએમ મોદીએ ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું કે જે લોકો આપણી સામે યુદ્ધમાં જીતી શકતા નથી તે લોકો આપણને પડકારી રહ્યાં છે. દેશવિરોધી આપણી એકતાને પડકારી રહ્યાં છે.
જમ્મૂ-કાશ્મીરને લઇને સરદારને યાદ કર્યાં
પીએમ મોદીએ કેવડિયા ખાતેના સંબોધનમાં જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી 370 કલમને લઇને કહ્યું કે સરદાર સાહેબે કાશ્મીરને લઇને કહ્યું હતું કે મારી પાસે કાશ્મીર મુદ્દો હોત તો ઉકેલાયો હોત. આમ હવે કલમ 370 દૂર કરાતાં સરદારના સપના પૂર્ણ થયા. કલમ 370થી આતંકવાદને પનાહ મળતી હતી. આતંકવાદીઓના કારણે 40 હજારથી વધુ લોકોનો ભોગ લેવાયો છે.
પીએમ મોદીએ કહ્યું સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં
પીએમ મોદીએ કહ્યું આપણે હમણાં જ સરદાર પટેલનો સંદેશો સાંભળ્યો, સરદાર પટેલના શબ્દોમાં પ્રેરણા હતી. પીએમ મોદીએ કહ્યું અખંડ ભારતના નિર્માતાને વંદન. એક વર્ષ પહેલા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા દેશને સમર્પિત કરી. આજે આ પ્રતિમા સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે. આજે પુષ્પાંજલિ કરતાં ગર્વ અનુભવી રહ્યો હતો. એકતાને ધ્યાને લઇને આજે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરાયું છે. સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં. રજવાડાઓમાં ભારતીયતાની ભાવના હતી. સરદારે રજવાડાઓમાં ભારતીયતાનો ભાવ ઓળખ્યો.
જમ્મૂ-કાશ્મીરમાં અંગત સ્વાર્થ માટે સરકાર નહીં બનેઃ પીએમ મોદી
હવે જમ્મૂ-કાશ્મીરમાં સ્થિરતા આવશે. જમ્મૂ-કાશ્મીરમાં અંગત સ્વાર્થ માટે સરકાર નહીં બને. જમ્મૂ-કાશ્મીરમાં આઝાદી બાદ પ્રથમ BDS ચૂંટણી યોજાય. BDSની પ્રથમ ચૂંટણીમાં 98 ટકા મતદાન થયું. આટલું મતદાન એકતાનો સંદેશ છે. ઓગસ્ટમાં જમ્મૂ-કાશ્મીરના લોકોને વચન આપ્યું હતું. બીજા રાજ્યની જેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ વેતનનું વચનુ હતું. જમ્મૂ-કાશ્મીરમાં પણ 7મું પગાર પંચ લાગુ કરાયું.