ગત 100 વર્ષોની સૌથી મોટી ભયાનક પૂરના ચપેટમાં આવેલા કેરલના હાલાતનું નિરીક્ષણ લેવા ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રો મોદીએ શનિવારે મુખ્યમંત્રી પિનારાઇ વિજયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષાની બેઠક કરી. પ્રધાનમંત્રીએ પ્રદેશના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઇ પરિક્ષણ પણ કર્યુ. પ્રધાનમંત્રીએ પૂરથી પ્રભાવિત થયેલા કેરલને 500 કરોડ રૂપિયાની તત્કાલિક મદદ કરવાની જાહેરાત કરી છે. 500 કરોડમાંથી પહેલા 100 કરોડની અગ્રમિ રાશિની ચૂકવણીની જાણકારી પ્રધાનમંત્રી દ્વારા પહેલાથી કરવામાં આવી ચૂકી છે. આ સિવાય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં મૃતકોના પરિવારજનોને 2 લાખ તથા ઘાયલોને 50000 રૂપિયા સુધીની મદદ કરવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન કેન્દ્રીય મંત્રી કે. જે. એલ્ફૉન્સ તથા અન્ય અધિકારી સાથે પૂરના માટે સમીક્ષા બેઠક કરી જેમાં મુખ્યમંત્રી કાર્યાલય ટ્વીટ કરીને જણાવ્યુ કે PMથી 2000 કરોડની મદદની માંગ કરી હતી જેમાંથી PM 500 કરોડ રૂપિયાની રાશિની મદદની જાહેરાત કરી છે. સીએમ પિનારાઇ વિજયને પ્રધાનમંત્રીને જાણકારી આપી કે રાજ્યમાં 19 512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
The State Bank of India (SBI) has donated Rs 2 crore to Chief Minister's Distress Relief Fund (CMDRF) and announced waiver of fees and charges on services offered by the bank in Kerala. #KeralaFloodspic.twitter.com/I47nNTQPPA
આ પહેલી એવી ચર્ચા થઇ રહી હતી કે ખરાબ વાતાવરણના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઇ પરિક્ષણના કેન્સલ થઇ શકે છે જોકે વાતાવરણમાં સુધારો આવ્યા પછી હવાઇ સફર કરી. સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ મુખ્યમંત્રી રાહત ભંડોળને 2 કરોડ રૂપિયા દાન આપ્યું છે અને કેરળમાં SBI તરફથી અપાતી સેવાઓની ફીસ અને ચાર્જિસમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
2 લાખ લોકો બેઘર:
50000 પરિવારના આશરે 2.23 લાખ લોકો હાલ બેઘર છે જે રાજ્યભરમાં શરૂ કરાયેલી 1568 રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. બે દિવસ સુધી મુશળધાર વરસાદ પડ્યા બાદ શુક્રવારે વરસાદ થોડો ઓછો થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં સ્થિતિ સામાન્ય થશે પરંતુ કેટલાક વિસ્તારમાં વરસાદનો પ્રકોપ ચાલુ રહેશે. આંકડા પ્રમાણે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીના અઠવાડિયામાં કેરલમાં સામાન્ય કરતાં સાડા ત્રણ ગણો વધારે વરસાદ થયો છે.
કુલ 324 લોકોના મોત:
કેરળ CM ઓફિસે પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને માહિતી આપી છે કે “કેરલ 100 વર્ષની સૌથી ભયાનક મુસીબતનો સામનો કરી રહ્યું છે. 80 ડેમ ખોલી નાખવામાં આવ્યા છે. મે મહિનાથી અત્યાર સુધીમાં કુલ 324 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 2 23 139 લોકો હજુ પણ રાહત કેમ્પમાં છે.” 4 જિલ્લાઓ અલાપ્પુઝા એર્નાકુલમ પથમતિત્તા અને ત્રિશૂરમાં પૂરના કારણે સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. પંપા પેરિયાર અને ચાલાકુડી નદીઓએ ગાંડીતૂર બની છે. 8 ઓગસ્ટથી શરૂ થયેલી તારાજીમાં રાજ્યને કુલ 8000 કરોડથી વધુનું નુકસાન થયું છે.