PM Cares Fundનો ડેટા સરકારની આ અધિકૃત વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ડેટાના આધારે પીએમ કેયર ફંડની શરૂઆતના પાંચ દિવસમાં 3000 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ ભેગું થયું છે.જો કે સરકારે આ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારીમાં તેના પછીનો ડેટા જાહેર કર્યો નથી.સરકારી આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2019-20માં પીએમ કેયર્સ ફંડના કુલ 3076.62 કરોડ રૂપિયા જમા થયા છે. તેમાંથી 39.68 લાખ રૂપિયા વિદેશી મુદ્રામાં મળ્યા છે.
PM Cares Fundમાં એકઠા થયું ફંડ
5 દિવસમાં 3000 કરોડ રૂપિયાથી વધુ ફંડ એકત્ર થયું
છેલ્લા 5 મહિનાથી સરકારે નથી આપ્યો કોઈ ડેટા
પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની રીતે છે રજિસ્ટર્ડ
ઉલ્લેખનીય છે કે પીએમ કેયર્સ ફંડના અધ્યક્ષ પ્રધાનમંત્રી છે. જ્યારે રક્ષામંત્રી, ગૃહમંત્રી અને નાણાંમંત્રી આ ફંડના ટ્રસ્ટી છે. 27 માર્ચ 2020ના રજિસ્ટ્રેશન એક્ટ 1908ના આધારે PM Cares Fundને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના આધારે રજિસ્ટર્ડ કરાયું છે. પીએમ કેયર્સ ફંડના મુખ્યાલય સંસદ ભવનના સાઉથ બ્લોકમાં પીએમ ઓફિસ છે. પીએમ કેયર્સ ફંડની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર તેમાંથી 3100 કરોડ રૂપિયા પણ અલગ અલગ ગતિવિધિ માટે આવી ચૂક્યા છે.
અહીં ખર્ચ થઈ છે ફંડની રકમ
પીએમ કેયર્સ ફંડમાંથી 2000 કરોડ રૂપિયા મેડ ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલોને માટે વેન્ટિલેટર્સના સપ્લાયમાં ઉપયોગમાં લેવાયા છે. આ સિવાય 1000 કરોડ રૂપિયા પ્રવાસી મજૂરોને માટે અલગ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માટે ફાળવવામાં આવ્યા છે. બાકીના 100 કરોડ રૂપિયા દેશમાં કોરોનાની વેક્સીનના ડેવલપમેન્ટમાં ખર્ચ થયા છે.
ખાનગી ઓડિટર કરશે પીએમ કેયર્સ ફંડનું ઓડિટ
ઉલ્લેખનીય છે કે પીએમ કેયર્સ ફંડનું ઓડિટ એક સ્વતંત્ર ઓડિટર દ્વારા કરાશે. 23 એપ્રિલ 2020માં આયોજિત પીએમ કેયર્સ થયેલી ફંડના ટ્રસ્ટીઓની અન્ય બેઠકમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર તેમાં નવી દિલ્હીને આવનારા 3 વર્ષો સુધી પીએમ કેયર્સ ફંડનો ઓડિટર બનાવવામાં આવશે. નાણાંકીય વર્ષના અંતમાં પીએમ કેયર્સ ફંડનું ઓડિટ કરાશે.
પીએમ કેયર્સ ફંડના ગઠન બાદથી જ તેને લઈને અનેક પ્રશ્નો આવી રહ્યા છે. મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસે પણ તેને લઈને પ્રશ્નો કર્યા છે. પીએમ કેયર્સ ફંડની જાણકારી માટે આરટીઆઈ પણ દાખલ કરાઈ છે. સરકારે આ વિશે કોઈ જાણકારી આપી નથી કે આ પબ્લિક ઓથોરિટી નથી. આરટીઆઈ દાખલ કરનારા કાર્યકર્તા હર્ષ કાંદુકુરીએ પીએમ કેયર્સ ફંડની પારદર્શિતાને લઈને ચિંતા જાહેર કરી હતી.