સુપ્રીમ કોર્ટે પીએમ કેર ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી દીધી છે. અરજદારોને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય કહ્યું કે પીએમ કેર ફંડ પણ ચેરિટી ફંડ જ છે. જેથી રકમ ટ્રાન્સફર કરવાની જરુર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવેમ્બર 2019માં બનાવવામાં આવેલી એનડીઆરએફ કોરોના સંકટને પહોંચી વળવા માટે સક્ષમ છે. કોઈ નવા એક્સન પ્લાન અને ન્યૂનતમ માપદંડોને અલગ કરવાની જરુર નથી.
ઉલ્લેખનીય છે કે અરજી કરનાર એનજીઓ, સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન(સીપીઆઈએલ)એ દાવો કર્યો હતો કે ડીએમ એક્ટ હેઠળ કાયદાના આદેશનું ઉલંઘન કરતા પીએમ કેર ફંડ બનાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે ડીએમ એક્ટ મુજબ સંકટને પહોંચી વળવા માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ અનુદાન અનિવાર્ય રુપથી એનડીઆરએફને ટ્રાન્સફર કરવામાં આવે.
ત્યારે કેન્દ્ર સરકારે 8 જુલાઈએ મુખ્ય અદાલતમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં આ તર્કને ફગાવી દીધો હતો. સરકારે કહ્યું હતુ કે પીએમ કેર ફંડ રાહત કાર્ય કરવા બનાવાયેલ એક કોષ છે અને ભૂતકાળમાં આવા અનેક કોષ બનાવવામાં આવ્યા છે.