કોંગ્રેસ સહિત વિપક્ષના સભ્યોએ અનુરાગ ઠાકુરના આ નિવેદન પર હોબાળો મચાવ્યો હતો, ખૂબ જ વિરોધ થતાં સદનને બે વાર મુલતવી રાખવું પડ્યું હતું.
PM Cares Fund અંગે અનુરાગ ઠાકુરના નિવેદન પર કોંગ્રેસે લોકસભામાં હોબાળો મચાવ્યો હતો
કોંગ્રેસે નિવેદન માટે અનુરાગ ઠાકુરની માફીની માંગણી કરી, સદનની કાર્યવાહી થઈ વિક્ષેપિત
અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ગાંધી પરિવારને ફાયદો પહોંચાડવા ટ્રસ્ટની રચના કરી હતી
શુક્રવારે PM Cares Fund અંગે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન પર શુક્રવારે લોકસભામાં હોબાળો મચી ગયો હતો. ઠાકુરના નિવેદન પર કોંગ્રેસે તેની માફીની માંગણી કરી હતી, હોબાળો જોઈને ગૃહની કાર્યવાહી સાંજના 5.30 સુધી મુલતવી રાખવામાં આવી હતી. ઠાકુર દ્વારા ટ્રસ્ટ થકી ગાંધી પરિવાર નાણાં એકત્રિત કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યા બાદ કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા હતા.
BJP ના નેતાએ કહ્યું કે 'નહેરુજીએ 1948 માં શાહી હુકમનામું બહાર પાડ્યું અને વડા પ્રધાન રાષ્ટ્રીય આપત્તિ ભંડોળ બનાવવાનો આદેશ આપ્યો, પરંતુ આજદિન સુધી તેની નોંધણી થઈ નથી. તો તેને FCRA ની મંજૂરી કેવી રીતે મળી? '
"માત્ર કરવા ખાતરનો વિરોધ કરે છે વિપક્ષ"
કેન્દ્રીય પ્રધાને કહ્યું, 'વિપક્ષ ફક્ત તેનો કરવા ખાતર કરવા માટે PM Cares Fund નો વિરોધ કરી રહ્યો છે. તેવી જ રીતે જેમ કે વિપક્ષે EVM નો વિરોધ કર્યો હતો અને તે પછી તે ઘણી ચૂંટણીઓ હારી ગયો હતો. વિપક્ષે જનધન, નોટબંધી, ટ્રીપલ તલાક અને GST ને ખરાબ ગણાવ્યા હતા. તે દરેક વસ્તુની ખામી જુએ છે, જ્યારે સત્ય એ છે કે તેના વિચારમાં ખામી છે.
ઠાકુરના નિવેદન પર કોંગ્રેસના સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો
ઠાકુરના આ નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. હોબાળો જોઈને ગૃહની કાર્યવાહી પાંચ વાગ્યા પહેલા બે વાર મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારબાદ સાડા પાંચ વાગ્યે પણ મુલતવી રાખવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાનના આ નિવેદન પર વિપક્ષે તેમણે માફી માંગવા કહ્યું હતું. ટેક્સ અને અન્ય કાયદાઓની ચર્ચામાં ભાગ લેતા શશી થરૂર, મનીષ તિવારી અને અધિર રંજન ચૌધરી એ PM Cares Fund ની ટીકા કરી હતી.
કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાને કોંગ્રેસને દોષી ઠેરવ્યા
PM Cares Fund નો બચાવ કરતા ઠાકુરે કહ્યું, 'હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની તમામ અદાલતોએ PM Cares Fund ને સાચું જાહેર કર્યું છે. બાળકોએ પણ તેમની પિગી બેંકમાંથી આ ભંડોળમાં નાણાં રેડ્યા છે. નહેરુએ એક ભંડોળ સ્થાપ્યું જે આજદિન સુધી નોંધાયેલું નથી. આપ , કોંગ્રેસના લોકો ફક્ત ગાંધી પરિવારના લાભ માટે ટ્રસ્ટની રચના કરો છે. તમે સોનિયા ગાંધીને તેના પ્રમુખ બનાવ્યા. તેની તપાસ થવી જોઈએ.
અધિર રંજન ચૌધરીએ અનુરાગ ઠાકુર પર વિવાદિત ટિપ્પણી કરી
ઠાકુરના નિવેદન પર કોંગ્રેસના સભ્યો રોષે ભરાયા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી એ ઠાકુર પર હુમલો કરતાં તેમને હિમાચલ પ્રદેશના 'છોકરા' ગણાવ્યા હતા અને ગાંધી-નહેરુ પરિવારની છબી ખરાબ કરવા બદલ તેમને માફી માગવી જોઈએ તેમ કહ્યું હતું. ચૌધરીએ પૂછ્યું, 'હિમાચલનો આ છોકરો કોણ છે?' 'નહેરુ આ ચર્ચામાં કેવી રીતે આવી ગયા ? શું અમે નરેન્દ્ર મોદીનું નામ લીધું છે?