પ્રધાનમંત્રી કાર્યાલયે PM કેયર્સ ફંડ વિશેની માહિતી જાહેર કરી છે. આ મુજબ આ ફંડની રચનાના પ્રથમ પાંચ દિવસમાં તેમાં 3,076 કરોડ રૂપિયા જમા થયા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે PM કેયર્સ ફંડ વિશેની માહિતી જાહેર કરી
3,076 કરોડ રૂપિયા જમા થયાં હતા
PM કેયર્સ ફંડ દ્વારા નાણાંની ચુકવણી અને તેમાં જમા કરાયેલા નાણાકીય વર્ષ 2019 - 20 માટેના પ્રથમ ઓડિટ અહેવાલમાં આ માહિતી પ્રાપ્ત થઈ છે. કોરોના સંકટને પહોંચી વળવા આ ભંડોળની શરૂઆત 27 માર્ચે રૂ. 2.25 લાખના પ્રારંભિક ભંડોળ સાથે કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, દેશના લોકોએ 31 માર્ચ 2020 સુધી પ્રથમ પાંચ દિવસમાં સ્વૈચ્છિક રૂપે 3,075.8 કરોડ રૂપિયા આ ભંડોળને આપ્યા છે.
કોણે કેટલી રકમ આપી તે જાહેર નથી કરાયું
જો કે, આ અહેવાલ 27 માર્ચથી 31 માર્ચ સુધીના પાંચ દિવસનો છે અને ત્યારબાદનો અહેવાલ આ નાણાકીય વર્ષના અંત પછી એટલે કે એપ્રિલ 2021 માં અથવા તે પછીના સમયગાળામાં આવી શકે છે. જોકે, આ રકમ કયા વ્યક્તિએ આપી છે તે વિશે માહિતી આપી નથી.
કોંગ્રેસી નેતા ચિદમ્બપરમે ઉઠાવ્યા સવાલ
પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓડિટ રિપોર્ટ પર કોંગ્રેસી નેતા અને પૂર્વ નાણામંત્રીએ સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરમે કહ્યું કે, સરકાર તે લોકો નામ જાહેર કરવાથી કેમ ડરી રહી છે, જેમણે દાન કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, તમામ અન્ય એનજીઓ અથવા ટ્રસ્ટ એક મર્યાદાથી વધુ રકમનું દાન કરનારનું નામ જાહેર કરવા બંધાયેલ છે. માટે PM CARES FUNDમાં છૂટ કેમ છે ?
PM CARES FUND के ऑडिटर्स ने पुष्टि की है कि 26 से 31 मार्च, 2020 के बीच केवल 5 दिनों में फंड को 3076 करोड़ रुपये मिले।
રિપોર્ટ અનુસાર, કેયર્સ ફંડમાં 31 માર્ચ સુધીમાં 39.6 લાખ રૂપિયાનું વિદેશ ફંડ મળ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રથમ 5 દિવસમાં સ્થાનિક દાનથી 35.3 લાખ રૂપિયા અને વિદેશી દાનથી 575 રૂપિયાનું વ્યાજ પણ મળ્યું છે. આમ વિદેશી દાન પર સર્વિસ ટેક્સ કાપ્યા બાદ પીએમ કેયર્સ ફંડમાં કુલ 3,076.6 રૂપિયા રહ્યા.
આ ફર્મ દ્વારા કરવામાં આવ્યું છે ઓડિટ
PM CARES ફંડનું ઓડિટ SARC અને એસોસિયેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને પીએમઓના ચાર અધિકારીઓએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા છે. હસ્તાક્ષર કરનારા અધિકારીઓમાં સેક્રેટરી શ્રી કે પરદેશ, નાયબ સચિવ હાર્દિક શાહ, અંડર સેક્રેટરી પ્રદીપકુમાર શ્રીવાસ્તવ, સેક્શન ઓફિસર પ્રવેશ કુમારનો સમાવેશ થાય છે.