પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં 16,488 ઘરના નિર્માણની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે. મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરી આ માહિતી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે 16,488 ઘરના નિર્માણની દરખાસ્તને આપી લીલીઝંડી
કેન્દ્રીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 54મી બેઠકમાં લેવાયો નિર્ણય
13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ બેઠકમાં ભાગ લીધો
13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ લીધો ભાગ
ખરેખર, કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ નિરાધાર લોકોને ઘર બનાવી આપે છે. આ યોજનામાં એવા લોકોને સબસિડી પણ મળે છે, જે લોકો લોન પર ઘર અથવા ફ્લેટ ખરીદે છે. સરકારની કેન્દ્રીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 54મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
પીએમએવાઈમાં આ રીતે કરો અરજી
પીએમ આવાસ યોજના ગ્રામ્યમાં અરજી કરવા માટે તમે તમારા મોબાઈલ પરથી સરકારી એપ ડાઉનલોડ કરી લોગ ઈન આઈડી બનાવી શકો છો
હવે આ એપ તમારા મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ મોકલશે
જેની મદદથી લોગ ઈન કર્યા બાદ આવશ્યક માહિતી નોંધો
પીએમએવાઈજી હેઠળ ઘર મેળવવા માટે અરજી કર્યા બાદ કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે
ત્યારબાદ લાભાર્થીઓની અંતિમ યાદી પીએમએવાઈજીની વેબસાઈટ પર મુકવામાં આવે છે
Central government approves construction of 16,488 houses in urban areas under Pradhan Mantri Awas Yojana, taking total number of houses sanctioned so far to over 1.13 crore: Housing and Urban Affairs Ministry statement
મહત્વનું છે કે, પીએમ આવાસ યોજનાનો લાભ પહેલા ફક્ત ગરીબ વર્ગને અપાતો હતો. પરંતુ હવે હોમ લોનની રકમ વધારીને તેમાં મધ્યમ વર્ગને પણ લાભ અપાય છે. પહેલાં પીએમએવાઈમાં હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધી હતી. જેના વ્યાજ પર સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેને વધારીને 8 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
જાણો આ યોજનાની મર્યાદા
ઈડબ્લ્યુએસ માટે ઘરની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એલઆઈજી માટે વાર્ષિક આવક 3 થી 6 લાખ વચ્ચે હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, હવે 12 અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.