જો તમને પણ પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે તો તમે જાણી લો કે તેમાં પાંચ વર્ષ રહેવું જરૂરી થઈ ગયું છે નહીં તો તેને રદ્દ કરવામાં આવશે.
PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે જરૂરી ખબર
યોજનાનો લાભ લેવા માટે નિયોમાં મોટા ફેરફાર
હવે ભાડા પર નહીં આપી શકાય મકાન
PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે જરૂરી ખબર છે. પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે નિયોમાં મોટા ફેરફાર થયા છે. જો તમને પણ પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે તો તમે જાણી લો કે તેમાં પાંચ વર્ષ રહેવું જરૂરી થઈ ગયું છે નહીં તો તેને રદ્દ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલ જે આવાસોનું રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ ટૂ લીઝ કરાવીને આપવામાં આવ્યું છે અથવા જે લોકો આ એગ્રીમેન્ટ ભવિષ્યમાં કરાવશે તે રજીસ્ટ્રી નથી.
પીએમ આવાસ હેઠળ નિયમોમાં ફેરફાર
હકીકતે સરકાર પાંચ વર્ષ એ જોશે કે તમે આ આવાસોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહ્યા છો તો આ એગ્રીમેન્ટને લીઝ ડીડમાં ફેરવી શકાય છે. નહીં તો વિકાસ પ્રાધિકરણ સાથે કરવામાં આવેલા એગ્રીમેન્ટનો પણ ખતમ કરી દેવામાં આવશે. ત્યાર બાદ તમારા દ્વારા જમાની ઘણી રકમ પણ પરત નહીં આપવામાં આવે. એટલે કે કુલ મળીને હવે તેનાથી ચાલતી ઠગાઈ હવે બંધ થઈ જશે.
ફ્રી હોલ્ડ નહીં રહે ફ્લેટ
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નિયમ અને શરતોના અનુસાર ક્યારેય પણ શહેરી પ્રાધનમંત્રી આવાસ યોજના હેઠશ બનાવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં રહે. પાંચ વર્ષ બાદ પણ લોકોને લીઝ પર જ રહેવું પડશે. તેનો એ ફાયદો થશે કે જે લોકો પીએમ આવાસ યોજના હેઠળ ઘર લઈને તેને ભાડા પર આપી રહ્યા છે તે હાલ લગભગ બંધ થઈ જશે.
શું છે નિયમ?
તેની સાથે જ જો કોઈ માલીકનું મોત થાય છે તો નિયમ અનુસાર, પરિવારના સદસ્યોને જ લીઝ આપવામાં આવશે. કોઈ બીજા પરિવારની સાથે કેડીએ કોઈ એગ્રીમેન્ટ નહીં કરે. આ એગ્રીમેન્ટ હેઠળ ફાળવણી વાળા લોકોને 5 વર્ષ સુધી આવાસોનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર બાદ આવાસોની લીઝ ફરી કરવામાં આવશે.