બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pm awas yojana government approves 3 61 lakh houses in urban area pm awas yojana 2021

સપનાનું ઘર / PM Awas Yojana હેઠળ 3.61 લાખ ઘરોના બાંધકામને મળી મંજૂરી, આ સ્ટેપ્સ ફોલો કરી ફટાફર કરો અરજી

Last Updated: 12:26 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ શહેરી વિસ્તારોમાં 3.61 લાખ ઘરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

  • PM Awas Yojana ઘરોના બાંધકામને મંજૂરી 
  • 3.61 લાખ ઘરોના નિર્માણના પ્રસ્તાવને લીલી ઝંડી
  • જાણો યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો 

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં 3.61 લાખ ઘરોના નિર્માણના પ્રસ્તાવને લીલી ઝંડી બતાવી છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ જેમની પાસે ઘર નથી તેવા લોકોને ઘર બનાવી આપે છે. આ યોજનામાં એ લોકોને સબ્સિડી આપવામાં આવે છે જે લોકો લોન પર ઘર અથલા ફ્લેટ ખરીદે છે. સરકારની કેન્દ્વીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 56મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય 
કેન્દ્રીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 56મી બેઠક 23 નવેમ્બર 2021એ નવી દિલ્હીમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયમાં થઈ હતી. બેઠકની અધ્યક્ષતા આવાસ અને શહેરી મંત્રાલયના સચિવ, શ્રી દુર્ગા શંકર મિશ્રાએ કરી હતી. બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. 

આ બેઠકમાં પીએમએવાય-યૂને અફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટનરશિપ, બેનિફિશરી લેન્ડ કંસ્ટ્રક્શન (BLC), ઈન-સીટૂ સ્લમ રિડેવલપમેન્ટ વર્ટિકલ હેઠળ કુલ 3.61 લાખ ઘરોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સચિવ, દુર્ગા શંકર મિશ્રાએ ઘણા મુદ્દાઓના સમાધાન પર વાત કરી જેથી ઘરોના નિર્માણનું કાર્ય જલ્દી શરૂ કરવામાં આવે. 

આ રીતે કરો પીએમ આવાસ યોજના (PM Awas Yojana)માં અરજી 

  • પીએમ આવાસ યોજના ગ્રામીણમાં અરજી માટે તમે મોબાઈલથી સરકારી એપ ડાઉનલોડ કરી લોગ ઈન આઈડી બનાવી શકો છો. 
  • હવે આ એપ તમારા મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ મોકલશે.
  • તેની મદદથી લોગિન કર્યા બાદ જરૂરી જાણકારીઓ ભરો. 
  • પીએમએવાય જી હેઠળ ઘર મેળવવા માટે અરજી કર્યા બાદ કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે. 
  • ત્યાર બાદ લાભાર્થીઓની ફાઈનલ લિસ્ટ પીએમએવાય જીની વેબસાઈટ પર મુકવામાં આવે છે. 

કઈ રીતે મળી શકે છે આ યોજનામાં લાભ ? 
મહત્વનું છે કે પીએમ આવાસ યોજનાનો લાભ પહેલા ફક્ત ગરીબ વર્ગના લોકો માટે જ હતો. પરંતુ હવે હોમ લોનની રકમ વધારીને મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. પહેલા આ યોજનામાં હોમ લોનની રકમ 3થી 6 લાખ રૂપિયા હતી. જેના વ્યાજ પર સબ્સિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેને વધારીને 8 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Home Loan Loan Modi Sarkar pm awas yojana પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકાર pm awas yojana
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ