પીએમ આવાસ યોજના હેઠળ સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર નથી.
PM આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય
2024 સુધી યોજનાને વધારવાની મંજૂરી
જાણો સમગ્ર ડિટેલ્સ
PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કામના સમાચાર છે. મોદી સરકારે પીએમ આવાસ યોજનાને બે વર્ષ માટે લંબાવી છે. આવી સ્થિતિમાં હવે લોકો આ યોજનાનો લાભ વર્ષ 2024 સુધી મેળવી શકશે. જણાવી દઈએ કે હાલમાં આ યોજના હેઠળ કુલ 122 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 65 લાખ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ બાકી રહેલા મકાનોનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવશે. આ પછી આ મકાન ટૂંક સમયમાં લાભાર્થીઓને આપવામાં આવશે.
શું છે PM આવાસ યોજના?
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર નથી.
વિધવાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) ના લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે. આ ઘરોમાં પાણી કનેક્શન, શૌચાલય અને વીજળી વગેરે જેવી ઘણી મૂળભૂત સુવિધાઓ મળે છે.
કેટલી આવક વાળા લોકો લઈ શકે છે આ યોજનાનો ફાયદો?
પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે સરકારે 3 આવક સ્લેબ બનાવ્યા છે. પ્રથમ શ્રેણી એવા લોકો છે જેમની આવક 3 લાખથી ઓછી છે, બીજી શ્રેણી એવા લોકોની છે જેમની આવક 3 થી 6 લાખની વચ્ચે છે. ત્યાં જ ત્રીજી શ્રેણી એવા લોકોની છે જેમની આવક 6 થી 12 લાખની વચ્ચે છે. જેમાં સરકાર ત્રણ હપ્તામાં પૈસા આપે છે. પહેલો હપ્તો 50 હજાર રૂપિયા, બીજો હપ્તો 1.50 લાખ રૂપિયા અને ત્રીજો હપ્તો 2.50 લાખ રૂપિયા છે.
યોજનામાં અરજી કરવાની રીત
યોજના માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ pmaymis.gov.in ની મુલાકાત લો.
પછી 'Citizen Assessment'વિકલ્પની પસંદગી કરો.
તમારો આધાર નંબર ફિલ કરો.
ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરો.
આ એપ્લીકેશનને સબમિટ કરો.
ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લો અને તેને તમારી પાસે રાખો.