પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને હાર્દિક અભિનંદન આપ્યા છે. તેઓએ લખ્યું છે કે દરેક દેશવાસીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જયશ્રીકૃષ્ણ.
દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જમ્મૂ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના દરેક ભાગમાં કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. દેશના અલગ અલગ ભાગમાં ભગવાન કૃષ્ણની ઝાંખીઓ સજાવવામાં આવી રહી છે. સાથે જ આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.
કૃષ્ણ જન્મોત્સવના અવસરે મનોરંજન, રમતો, રાજનીતી દરેક વર્ગના લોકો ભાગ લે છે. દેશમાં આ તહેવાર 23 અને 24 બંને દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાઓએ શનિવારે પણ કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરામાં પણ આ અવસર મનાવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું કે જન્માષ્ટમીના અવસરે દેશવાસીઓને અભિનંદન અને શુભકામનાઓ. ભગવાન શ્રી કૃષ્ણને 'નિષ્કામ કર્મ' એટલે કે ફળની ઈચ્છા કર્યા વિના કર્મ કરવાનો સંદેશ આપ્યો છે. હું કામના કરું છું કે આ તહેવાર સૌના જીવનમાં હર્ષ, ઉલ્લાસ અને ઉમંગ લાવે.
जन्माष्टमी के अवसर पर सभी देशवासियों को बधाई और शुभकामनाएं।
भगवान श्री कृष्ण ने 'निष्काम कर्म' अर्थात् फल की इच्छा किए बिना कर्म करने का संदेश दिया है।
मेरी कामना है कि यह त्योहार सबके जीवन में हर्ष-उल्लास और उमंग लाएं — राष्ट्रपति कोविन्द